શાહરૂખ ખાનને લાગે છેકે આજે આર્યનને નહી મળે જામિન, દોસ્તએ કહ્યું- કરી રહ્યાં છે લાંબા સમયની તૈયારી
મુંબઈ ડ્રગ્સ ઓન ક્રુઝ કેસમાં ધરપકડ કરાયેલ આર્યન ખાનની જામીન અરજી પર આજે (26 ઓક્ટોબર) સાંજે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થશે. શાહરૂખ ખાને પોતાના પુત્ર આર્યન ખાન માટે નવો વકીલ રાખ્યો છે. ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહ
મુંબઈ ડ્રગ્સ ઓન ક્રુઝ કેસમાં ધરપકડ કરાયેલ આર્યન ખાનની જામીન અરજી પર આજે (26 ઓક્ટોબર) સાંજે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થશે. શાહરૂખ ખાને પોતાના પુત્ર આર્યન ખાન માટે નવો વકીલ રાખ્યો છે. ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી આજે સુનાવણીમાં આર્યન ખાનનું પ્રતિનિધિત્વ કરશે, જ્યારે વરિષ્ઠ વકીલ અમિત દેસાઈ અને સતીશ માનશિંદે પણ આર્યન માટે હાજર રહેશે. બીજી તરફ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ આર્યન ખાનની જામીન અરજીનો વિરોધ કર્યો છે. આ બધાની વચ્ચે શાહરૂખ ખાન અને ગૌરી ખાનના મગજમાં શું ચાલી રહ્યું છે? ઈન્ડિયા ટુડેએ ખાન પરિવારના નજીકના મિત્રને ટાંકીને જણાવ્યું હતું કે શાહરૂખ ખાન અને ગૌરી ખાન (આર્યનની માતા) લાંબા અંતરની તૈયારી કરી રહ્યા છે. શાહરૂખ અને ગૌરી બંનેને લાગે છે કે આર્યનને આજે બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળશે નહી.
શાહરુખ ખાનને આર્યનના જામીનની જલ્દી આશા નથી
આર્યન ખાનની માતા ગૌરી ખાન આ મુશ્કેલ સમયમાં મજબૂત રહેવાનો પ્રયાસ કરી રહી છે. તે જ સમયે પિતા શાહરૂખ ખાન આર્યનની જામીન સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ વચ્ચે શાહરૂખ ખાનને ડર છે કે આર્યન ખાનને આટલી સરળતાથી બહાર જવા દેવામાં નહીં આવે અને તે આગળના લાંબા સમય માટે તૈયારી કરી રહ્યો છે. ખાન પરિવારના એક પારિવારિક મિત્રએ ઇન્ડિયા ટુડેને જણાવ્યું હતું કે, "શાહરૂખ ખાનને લાગે છે કે આર્યનને જામીન નહીં મળે અને આંતરિક રીતે પરિવાર લાંબા અંતરની તૈયારી કરી રહ્યો છે."
શાહરૂખને આ વાતનો ડર સતાવી રહ્યો છે
પરિવારના મિત્રએ વધુમાં ઉમેર્યું, "ખાન પરિવારને ડર છે કે આર્યનને લાંબા સમય સુધી જેલમાં રહેવું પડી શકે છે અને તે અથવા પરિવાર ટૂંક સમયમાં આ સમગ્ર મામલાને પાછળ છોડી શકશે નહીં. તેમ છતાં, શાહરૂખ તેના પુત્રને વહેલી તકે મુક્ત કરાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે.
25 કરોડની લાંચઃ શાહરૂખના વકીલે સાક્ષીના દાવાથી પોતાને દૂર કર્યા
મુંબઈ
ક્રૂઝ
ડ્રગ્સ
કેસના
સાક્ષી
પ્રભાકર
સેલે
કોર્ટમાં
એફિડેવિટ
દાખલ
કરીને
દાવો
કર્યો
છે
કે
આર્યન
સાથે
વાયરલ
સેલ્ફીમાં
દેખાઈ
રહેલા
કેપી
ગોસાવીએ
NCB
ઝોનલ
ડિરેક્ટર
સમીર
વાનખેડે
વતી
25
કરોડ
રૂપિયાની
લાંચ
માંગી
હતી.
હતી.
આ
વ્યક્તિનો
દાવો
છે
કે
આર્યન
ખાનને
NCB
કસ્ટડીમાંથી
છોડાવવા
માટે
25
કરોડ
રૂપિયાની
માંગણી
કરવામાં
આવી
હતી.
પ્રભાકર
સેલ
કેપી
ગોસાવીનો
બોડીગાર્ડ
છે.
જો
કે
સમીર
વાનખેડેએ
આ
આરોપોને
નકારી
કાઢ્યા
છે.
આર્યનની
કાનૂની
ટીમે
આર્યનના
જામીન
પર
બોમ્બે
હાઈકોર્ટની
સુનાવણી
પહેલા
જ
પ્રભાકર
સેલની
એફિડેવિટથી
પોતાને
દૂર
કરી
લીધા
છે.
આર્યનની
લીગલ
ટીમે
એફિડેવિટ
દાખલ
કરીને
કહ્યું
છે
કે
આર્યન
કે
શાહરૂખના
પરિવારને
સાક્ષી
પ્રભાકર
સેલ
સાથે
કોઈ
લેવાદેવા
નથી.
શાહરૂખ ખાન અને ગૌરીએ તેમના લગ્નની એનિવર્સરી પણ ના મનાવી
શાહરૂખ ખાન અને ગૌરી ખાને તેમની 30મી લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી નથી કારણ કે તેમનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સના કેસમાં મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. શાહરૂખ ખાન અને ગૌરીએ વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 25 ઓક્ટોબર 1991ના રોજ લગ્ન કર્યા હતા. ફેમિલી ફ્રેન્ડના જણાવ્યા અનુસાર, શાહરૂખ ખાન દર વર્ષે તેની લગ્નની વર્ષગાંઠ પર ગૌરી માટે કંઈક નવું ખરીદે છે, પરંતુ આ વખતે શાહરૂખે કંઈ કર્યું નથી.