રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠાની ટીકા કરનાર શંકરાચાર્યએ કહ્યુ - હું પીએમ મોદી કે ભાજપ વિરોધી નથી
Shankaracharya Avimukteshwaranand: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે હવે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ફરી પ્રતિક્રિયા આપી છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે હવે કહ્યું છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ભાજપ પક્ષની વિરુદ્ધ નથી.
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને અશાસ્ત્રીય ગણાવનારા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું છે કે, 'અમારી ટીકા કરનારાઓ દ્વારા અમને કોંગ્રેસી કહેવા એ નબળાઈની નિશાની છે. પીએમ મોદીના વિરોધીઓ તે છે જેઓ તેમને ખોટા કામો કરતા રોકતા નથી. કારણ કે ખોટી વસ્તુઓ જ પતન તરફ દોરી જાય છે.

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, 'અમે પીએમ મોદીથી ખુશ છીએ, અમે ઈચ્છીએ છીએ કે તેઓ લાંબા સમય સુધી વડાપ્રધાન રહે કારણ કે તેઓ એક હિંમતવાન માણસ છે, જ્યારથી તેઓ સત્તામાં આવ્યા છે, તેમણે હંમેશા હિન્દુઓનું મનોબળ વધાર્યું છે. છે. અમે શા માટે પીએમ મોદીનો વિરોધ કરીશું?












Click it and Unblock the Notifications
