Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શંકરાચાર્યનો બીજેપી-આરએસએસ પર વાર, ભાગવતને કહ્યા અજ્ઞાની

શંકરાચાર્ય સ્વરુપાનંદ સરસ્વતીએ ફરી એક વાર બીજેપી અને સંઘ પર નિશાન તાક્યુ છે. શંકરાચાર્યએ બીજેપી અને સંઘ પર હિંદુત્વને નુકશાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.

શંકરાચાર્ય સ્વરુપાનંદ સરસ્વતીએ ફરી એક વાર બીજેપી અને સંઘ પર નિશાન તાક્યુ છે. શંકરાચાર્યએ બીજેપી અને સંઘ પર હિંદુત્વને નુકશાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. શંકરાચાર્યએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ કે હિંદુત્વને જો કોઈએ નુકશાન પહોંચાડ્યુ હોય તો તે બીજેપી અને સંઘ છે. આટલુ જ નહિ શંકરાચાર્યએ આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પર નિશાન સાધતા કહ્યુ કે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત હિંદુત્વ વિશે કંઈ જાણતા નથી.

ભારતમાં જન્મેલા બધા હિંદુવાળા નિવેદન પર સાધ્યુ નિશાન

ભારતમાં જન્મેલા બધા હિંદુવાળા નિવેદન પર સાધ્યુ નિશાન

શંકરાચાર્ય સ્વરુપાનંદ સરસ્વતી આટલેથી રોકાયા નહિ. તેમણે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના હિંદુ લગ્નને એક સમજૂતી ગણાવતા નિવેદન પર પણ હુમલો કર્યો. શંકરાચાર્યએ પોતાના ઈન્ટરવ્યૂમાં કહ્યું કે ભાગવત કહે છે કે હિંદુઓમાં લગ્ન એક સમજૂતી છે, જ્યારે આ તો આખા જીવનનો સંગાથ છે. શંકરાચાર્યએ મોહન ભાગવતના નિવેદન અંગે કહ્યુ કે તે કહે છે કે જે લોકો ભારતમાં જન્મ્યા છે તેઓ જ માત્ર હિન્દુ છે. આરએસએસ પ્રમુખના આ નિવેદન પર શંકરાચાર્યએ કહ્યુ કે ભાગવત તે લોકોને શું કહેશે જે લોકો ભારતથી બહાર ઈંગ્લેન્ડ અને અમેરિકામાં રહેતા માતા-પિતાથી પેદા થયા હોય છે.

બીજેપીનો બેવડો ચહેરો જનતા સામે આવી ગયો છે

બીજેપીનો બેવડો ચહેરો જનતા સામે આવી ગયો છે

વળી, શંકરાચાર્યએ બીજેપી નેતાઓ પર બીફના સૌથી મોટા નિકાસકર્તા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. શંકરાચાર્યએ બીજેપી પર નિશાન સાધતા કહ્યું કે બીફ મુદ્દે બીજેપીનો બેવડો ચહેરો જનતા સામે આવી ગયો છે. શંકરાચાર્યએ આરોપ લગાવતા કહ્યું કે એક તરફ તો બીજેપી ગૌહત્યાનો વિરોધ કરે છે અને બીજી તરફ બીફના નિકાસને ભારતની છબી પર કલંક બતાવે છે.

અમારા જેવા રામભક્ત જ રામ મંદિર બનાવશે

અમારા જેવા રામભક્ત જ રામ મંદિર બનાવશે

થોડા દિવસો પહેલા રામમંદિરના મુદ્દે દ્વારિકાપીઠના શંકરાચાર્ય જગદગુરુ સ્વરુપાનંદ સરસ્વતીએ મોટુ નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે બીજેપી અને આરએસએસ નહિ પરંતુ અમારા જેવા રામભક્ત જ રામ મંદિર બનાવશે. શંકરાચાર્ય જગદગુરુ સ્વરુપાનંદ સરસ્વતીએ કહ્યુ કે બીજેપી અને સંઘના લોકો કહે છે કે કેન્દ્રમાં તેમની સરકાર છે અને તે રામ મંદિર બનાવશે. સંવિધાન પ્રમાણે કેન્દ્ર સરકાર સેક્યુલર છે. એક સેક્યુલર સરકાર મંદિર, મસ્જિદ કે ગુરુદ્વારા બનાવી શકે વહિ. અમારા જેવા રામભક્ત જ રામ મંદિર બનાવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X