રાજીનામું આપીને મોટો ખેલ કરી ગયા શરદ પવાર, આવી રીતે ખેલાયો પુરો ખેલ
એનસીપીના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના સૌથી પીઢ નેતા શરદ પવારે પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપીને તમામ લોકોને ચૌકાવી દીધા હતા. હવે પાર્ટીની કોર કમિટીએ તેમના રાજીનામાંને નામંજુર કર્યુ છે. પવાર આ રાજીનામું આપીને મોટો ખેલ કરી ખેલી ગયા છે.
વિશ્લેષકો શરદ પાવરના આ પગલાને માસ્ટરસ્ટ્રોક માની રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે શરદ પવારે આ આ રાજીનામું આપીને એક કાંકરે ઘણા નિશાન સાધ્યા છે. કહેવાઈ રહ્યું હતું તે મુજબ આ દબાણની રાજનીતિ હોઈ શકે છે, જો કે હવે આવું જ કઈંક સાબિત થઈ રહ્યું છે.

જીનામા પહેલા એવી અટકળો હતી કે અજિત પવાર પાર્ટી છોડી શકે છે. તેમની સાથે કેટલાક ધારાસભ્યો પણ જઈ શકે તેમ હતા. પાર્ટી તૂટવાથી એનસીપી માટે મોટું નુકસાન થઈ શકે તેમ હતું. શરદ પવાર તેને દરેક કિંમતે પાર્ટીને બચાવવા માંગતા હતા. આ માટે પવારે શોક ટ્રીટમેન્ટનો આશરો લીધો છે.
શરદ પવારના અચાનક રાજીનામાંથી પાર્ટી છોડવાના પ્રયાસમાં રહેલા અજિત પવાર અને તેના સમર્થક ધારાસભ્યો અસહજ થઈ ગયા છે. કાર્યકરોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે આ સ્થિતીમાં કોઈ પણ નેતા બગાવતનું જોખમ ઉઠાવી શકે તેમ નથી. પવારના માસ્ટક સ્ટ્રોકે બળવાને આસાનીથી દબાવી દીધો છે.
અહેવાલો હતા તે મુજબ, રાજીનામા બાદ ધારાસભ્યો અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રાજીનામું પાછું ખેંચવા વિચારણા કરશે અને પવારને એનસીપીના અધ્યક્ષ તરીકે ચાલુ રહેવા કહેશે. આ બધું જ બેઠકમાં જોવા મલી રહ્યું છે.
શરદ પવારના રાજીનામા બાદ રાહુલ ગાંધી અને તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને સુપ્રિયા સુલેને ફોન કર્યો હતો. સુલેને પવારને રાજીનામું પાછું ખેંચવા સમજાવવા કહેવામાં આવ્યું હતું. હવે પવાર મહારાષ્ટ્રની ચૂંટણી અને 2024ની ચૂંટણીમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે.
અહીં એ પણ જણાવી દઈએ કે, શરદ પવાર મહાવિકાસ આઘાડીના સુત્રધાર છે. તેમણે જ મહારાષ્ટ્રના રાજકારણમાં આ સમીકરણો સર્જ્યા હતા. પવારે અસંભવ ગણાતા શિવસેના અને કોંગ્રેસને એક મંચ પર લાવીને નવું ગઠબંધન આપ્યું હતું.
કોંગ્રેસ અને શિવસેના સહિતના વિપક્ષો નથી ઈચ્છતા કે મહાગઠબંધન તૂટ્યા બાદ મહારાષ્ટ્રમાં બીજેપીને ધાર મળે. હવે પવાર પક્ષના વડા તરીકે ચાલુ રાખવા માટે સંમત થયા છે. બીજેપી માટે આ મોટો ફટકો છે.
પવારના રાજીનામા બાદ ઉત્તરાધિકારીની ચર્ચાઓ પણ શરૂ થઈ હતી. અનુગામી તરીકે અજિત પવાર, શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલના નામ પણ ચર્ચામાં આવ્યા હતા.
નિષ્ણાતો માને છે કે પવાર તેમની પુત્રી સુપ્રિયાના ભવિષ્યને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે સુપ્રિયા સુલેને પાર્ટી સોંપવાનો વિચાર ધરાવે છે. પાર્ટીની વર્તમાન સ્થિતિ જોતા તે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે, કોંગ્રેસ 2024 ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષી દળોને એક કરવાનો પ્રયાસ કરી રહી છે. બિહારના સીએમ નીતિશ કુમારને પાર્ટીઓને એક કરવા માટે આ કામ સોંપવામાં આવ્યું છે. દિલ્હીની રાજનીતિમાં નીતિશ કરતાં પવાર વધુ અસરકારક છે. પક્ષોને સાથે લાવવામાં તે નીતિશ કરતા વધુ માહેર માનવામાં આવે છે. પવારના ઘણા પક્ષો સાથે ગાઢ સંબંધ છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
