Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજીનામું આપીને મોટો ખેલ કરી ગયા શરદ પવાર, આવી રીતે ખેલાયો પુરો ખેલ

એનસીપીના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના સૌથી પીઢ નેતા શરદ પવારે પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપીને તમામ લોકોને ચૌકાવી દીધા હતા. હવે પાર્ટીની કોર કમિટીએ તેમના રાજીનામાંને નામંજુર કર્યુ છે. પવાર આ રાજીનામું આપીને મોટો ખેલ કરી ખેલી ગયા છે.

વિશ્લેષકો શરદ પાવરના આ પગલાને માસ્ટરસ્ટ્રોક માની રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે શરદ પવારે આ આ રાજીનામું આપીને એક કાંકરે ઘણા નિશાન સાધ્યા છે. કહેવાઈ રહ્યું હતું તે મુજબ આ દબાણની રાજનીતિ હોઈ શકે છે, જો કે હવે આવું જ કઈંક સાબિત થઈ રહ્યું છે.

Sharad Pawar

જીનામા પહેલા એવી અટકળો હતી કે અજિત પવાર પાર્ટી છોડી શકે છે. તેમની સાથે કેટલાક ધારાસભ્યો પણ જઈ શકે તેમ હતા. પાર્ટી તૂટવાથી એનસીપી માટે મોટું નુકસાન થઈ શકે તેમ હતું. શરદ પવાર તેને દરેક કિંમતે પાર્ટીને બચાવવા માંગતા હતા. આ માટે પવારે શોક ટ્રીટમેન્ટનો આશરો લીધો છે.

શરદ પવારના અચાનક રાજીનામાંથી પાર્ટી છોડવાના પ્રયાસમાં રહેલા અજિત પવાર અને તેના સમર્થક ધારાસભ્યો અસહજ થઈ ગયા છે. કાર્યકરોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે આ સ્થિતીમાં કોઈ પણ નેતા બગાવતનું જોખમ ઉઠાવી શકે તેમ નથી. પવારના માસ્ટક સ્ટ્રોકે બળવાને આસાનીથી દબાવી દીધો છે.

અહેવાલો હતા તે મુજબ, રાજીનામા બાદ ધારાસભ્યો અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રાજીનામું પાછું ખેંચવા વિચારણા કરશે અને પવારને એનસીપીના અધ્યક્ષ તરીકે ચાલુ રહેવા કહેશે. આ બધું જ બેઠકમાં જોવા મલી રહ્યું છે.

શરદ પવારના રાજીનામા બાદ રાહુલ ગાંધી અને તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને સુપ્રિયા સુલેને ફોન કર્યો હતો. સુલેને પવારને રાજીનામું પાછું ખેંચવા સમજાવવા કહેવામાં આવ્યું હતું. હવે પવાર મહારાષ્ટ્રની ચૂંટણી અને 2024ની ચૂંટણીમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે.

અહીં એ પણ જણાવી દઈએ કે, શરદ પવાર મહાવિકાસ આઘાડીના સુત્રધાર છે. તેમણે જ મહારાષ્ટ્રના રાજકારણમાં આ સમીકરણો સર્જ્યા હતા. પવારે અસંભવ ગણાતા શિવસેના અને કોંગ્રેસને એક મંચ પર લાવીને નવું ગઠબંધન આપ્યું હતું.

કોંગ્રેસ અને શિવસેના સહિતના વિપક્ષો નથી ઈચ્છતા કે મહાગઠબંધન તૂટ્યા બાદ મહારાષ્ટ્રમાં બીજેપીને ધાર મળે. હવે પવાર પક્ષના વડા તરીકે ચાલુ રાખવા માટે સંમત થયા છે. બીજેપી માટે આ મોટો ફટકો છે.

પવારના રાજીનામા બાદ ઉત્તરાધિકારીની ચર્ચાઓ પણ શરૂ થઈ હતી. અનુગામી તરીકે અજિત પવાર, શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલના નામ પણ ચર્ચામાં આવ્યા હતા.

નિષ્ણાતો માને છે કે પવાર તેમની પુત્રી સુપ્રિયાના ભવિષ્યને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે સુપ્રિયા સુલેને પાર્ટી સોંપવાનો વિચાર ધરાવે છે. પાર્ટીની વર્તમાન સ્થિતિ જોતા તે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે.

અહીં એ પણ જાણવુ જરૂરી છે કે, કોંગ્રેસ 2024 ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષી દળોને એક કરવાનો પ્રયાસ કરી રહી છે. બિહારના સીએમ નીતિશ કુમારને પાર્ટીઓને એક કરવા માટે આ કામ સોંપવામાં આવ્યું છે. દિલ્હીની રાજનીતિમાં નીતિશ કરતાં પવાર વધુ અસરકારક છે. પક્ષોને સાથે લાવવામાં તે નીતિશ કરતા વધુ માહેર માનવામાં આવે છે. પવારના ઘણા પક્ષો સાથે ગાઢ સંબંધ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X