શરદ પવારે એનસીપીના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યુ, જાણો હવે કોણ બનશે નવા અધ્યક્ષ?
છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ જોવા મળી રહ્યા છે. હવે એનસીપીના અધ્યક્ષ શરદ પવારે રાજીનામાંની જાહેરાત કરીને તમામને ચૌકાવી દીધા છે. શરદ પવારે સન્યાસ લેવાની વાત કરતા પાર્ટીનું અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી છે.
શરદ પવારે એનસીપીનું અધ્યક્ષ પુદ છોડવાની જાહેરા કરતા મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાયો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે રાજીનામું આપી દીધું અને પોતાની આત્મકથાના વિમોચન કાર્યક્રમમાં શરદ પવારે કહ્યું કે, હું હવે પાર્ટી અધ્યક્ષ પદ પરથી નિવૃત્ત થવા માંગુ છું અને તમે બધા મળીને તમારા નવા નેતા પસંદ કરો.

શરદ પવારની આ જાહેરાત પછી હોબાળો થયો અને તેમના સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા અને તેમને તેમના પદ પર ચાલુ રહેવા વિનંતી કરી રહ્યા છે. પાર્ટી કાર્યકર્તાઓ સિવાય ઘણા નેતાઓ પણ તેમના સમર્થનમાં આવ્યા છે અને પદ પર રહેવા માટે અપીલ કરી રહ્યા છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, શરદ પવારના સુર કેટલાક સમયથી બદલાયેલા બદલાયેલા જોવા મળ્યા હતા. તેમને અદાણી મુદ્દે જેપીસીની માંગ મુદ્દે પણ વિપક્ષ વિરૂદ્ધ નિવેદન આપ્યુ હતું. ત્યારબાદ તેમને ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી હતી. હવે તેમના રાજીનામાંએ ઘણા સવાલો ઉભા કર્યા છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
