શરદ પવારે એનસીપીના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યુ, જાણો હવે કોણ બનશે નવા અધ્યક્ષ?

છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ જોવા મળી રહ્યા છે. હવે એનસીપીના અધ્યક્ષ શરદ પવારે રાજીનામાંની જાહેરાત કરીને તમામને ચૌકાવી દીધા છે. શરદ પવારે સન્યાસ લેવાની વાત કરતા પાર્ટીનું અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી છે.

શરદ પવારે એનસીપીનું અધ્યક્ષ પુદ છોડવાની જાહેરા કરતા મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાયો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે રાજીનામું આપી દીધું અને પોતાની આત્મકથાના વિમોચન કાર્યક્રમમાં શરદ પવારે કહ્યું કે, હું હવે પાર્ટી અધ્યક્ષ પદ પરથી નિવૃત્ત થવા માંગુ છું અને તમે બધા મળીને તમારા નવા નેતા પસંદ કરો.

sharad pawar

શરદ પવારની આ જાહેરાત પછી હોબાળો થયો અને તેમના સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા અને તેમને તેમના પદ પર ચાલુ રહેવા વિનંતી કરી રહ્યા છે. પાર્ટી કાર્યકર્તાઓ સિવાય ઘણા નેતાઓ પણ તેમના સમર્થનમાં આવ્યા છે અને પદ પર રહેવા માટે અપીલ કરી રહ્યા છે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, શરદ પવારના સુર કેટલાક સમયથી બદલાયેલા બદલાયેલા જોવા મળ્યા હતા. તેમને અદાણી મુદ્દે જેપીસીની માંગ મુદ્દે પણ વિપક્ષ વિરૂદ્ધ નિવેદન આપ્યુ હતું. ત્યારબાદ તેમને ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી હતી. હવે તેમના રાજીનામાંએ ઘણા સવાલો ઉભા કર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X