કોંગ્રેસ મુક્ત ભારત અસંભવ, દેશના વિકાસ માટે તેનું અસ્તિત્વ જરૂરી - શરદ પવાર
કોંગ્રેસ દ્વારા 28 ડિસેમ્બરના રોજ પોતાનો 138 મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવણીના ભાગરૂપે પૂણેમાં યોજાયેલા એક કાર્યક્રમમાં એનસીપી ચીફ શરદ પવાર પણ જોડાયા હતા.
કોંગ્રેસ દ્વારા 28 ડિસેમ્બરના રોજ પોતાનો 138 મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવણીના ભાગરૂપે પૂણેમાં યોજાયેલા એક કાર્યક્રમમાં એનસીપી ચીફ શરદ પવાર પણ જોડાયા હતા. શરદ પવારે કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધન કરતા સમયે દેશ માટે કોંગ્રેસે આપેલા યોગદાનને યાદ કર્યું હતું.
આ સાથે તેમણે જાણાવ્યું હતું કે, કોંગ્રેસ મુક્ત ભારત શક્ય નથી, કારણ કે કોઇપણ પાર્ટીની વિચારધારા અને યોગદાનની અવગણના કરી શકાય નહીં.

આપણે કોંગ્રેસના યોગદાન અને ઇતિહાસને ભૂલી શકીએ નહીં - શરદ પવાર
પોતાના સંબોધનમાં એનસીપી સુપ્રિમો શરદ પવારે જણાવ્યું હતું કે, આ સ્થળ (પૂણે) ઘણી ઐતિહાસિક ક્ષણોનું સાક્ષી રહ્યું છે. કોંગ્રેસનામહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીના લગભગ તમામ દિગ્ગજ નેતાઓએ આ સ્થળની મુલાકાત લીધી છે.
આ અગાઉપૂણેમાં કોંગ્રેસ કાર્યાલય રાજ્યનું મુખ્ય કાર્યાલય હતું. કેટલાક લોકો કહે છે કે, અમે કોંગ્રેસ મુક્ત ભારત બનાવીશું, પરંતુ ભારતને કોંગ્રેસ મુક્તબનાવવું શક્ય નથી.
જો આપણે ભારતને આગળ લઈ જવુ હોય, તો કોંગ્રેસને આગળ લઈ જવી પડશે, કોંગ્રેસની વિચારધારાને કોઈ અવગણીશકે નહીં. આપણે કોંગ્રેસના યોગદાન અને ઇતિહાસને ભૂલી શકીએ નહીં.
NCPના વડાના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર સિવાય સમાન વિચારધારા ધરાવતા પક્ષોએ રાષ્ટ્રીય સ્તરે પણ સાથે આવવાનો નિર્ણય કર્યોછે. તેમને ખાતરી છે કે, કોંગ્રેસ મુક્ત ભારતની વિચારધારાનો સામનો કરવા અને તેને હરાવવા માટે અમને તમારું સમર્થન મળશે.

1999માં છોડી હતી કોંગ્રેસ
ઉલ્લેખનીય છે કે, આ પહેલા શરદ પવાર પણ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, પરંતુ 1999માં તેમણે મોટો નિર્ણય લેતા કોંગ્રેસ છોડી દીધી હતી.જે બાદ તેમણે NCPની રચના કરી હતી. જોકે, બાદમાં તેમણે કોંગ્રેસ સાથે ઘણીવાર ગઠબંધન કર્યું હતું.

મુંબઈમાં પણ વિશાળ રેલી
બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મુંબઈના સોમૈયા મેદાનમાં વિશાળ રેલી યોજી હતી.
આ દરમિયાન કન્હૈયા કુમાર, નાનાપટોલે, કેસી વેણુગોપાલ, અશોક ચવ્હાણ અને ઇમરાન પ્રતાપગઢી જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પણ હાજરી આપી હતી.
આ પહેલાદિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખડગેએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
