Sharad Yadav: શરદ યાદવના પાર્થિવ શરીરને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો, પૈતૃક ગામમાં અંતિમ સંસ્કર
જેડીયુ નેતા શરદ યાદવનું નિધન મોડી રાત્રે તયુ હતુ. આ અંગેની મહિતી તેની દિકરી શુભાષિનીએ આપી હતી શરદ યાદવના નિધનના દુખદ સમાચાર બાદ પ્રધાનમંત્રી મોદી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલી
જેડીયુના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવનુ ગુરુવારે નિધન થઇ ગયુ છે. તેમની દિકરી શુભાષિની યાદવે આ દખદ સમાચારની જાણકારી આપી હતી. તેમણે 75 વર્ષની ઉમરમાં છેલ્લો શ્વાસ લીધો હતો. તે થોડા દિવસોથી બિમાર હતા. શુભાષીની યાદવે ટ્વીટ કરીન લખ્યુ છે પાપા નથી રહ્યા તેમનું નિધન ગુરુવારે ફોર્સિસ હોસ્પિટલમાં થયુ છે. તેમના પરિવારમાં પત્ની અને એક દિકરી અને દીકરો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવના પાર્થિવ શરીરને તેમના દિલ્હીના છતરપુર સ્થિત તેમના આવાસ પર લાવામાં આવ્યા છે.
શરદ યાદવના જમાઇએ રજ કમાલ રાવને જણાવ્યુ હતુ કે, તેમને કાર્ડિયક અરેસ્ટ થયુ હતુ. અમે તેમને હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં પહોત્યા બાદ ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમને કિડનીની બિમારી હતી. અને ડાયાલિસિસ પર હતા. તેમના પાર્થિવ શરીરને મધ્ય પર્દેશમાં તેમના પૈતૃક ગામમાં લઇ જવામાં આવશે અને ત્યાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
#WATCH | Mortal remains of Former Union Minister & JDU leader Sharad Yadav have been brought to his residence in Delhi's Chhatarpur pic.twitter.com/wq9wteQxyB
— ANI (@ANI) January 12, 2023
ફોર્ટસ હોસ્પિટલે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે, શરદ યાદવને ગંભીર અને અચેતન અવસ્થામાં ઇમરજેન્સી વોર્ડમાં લાવામાં આવ્યા હતા. શરુઆત તપાસમાં તે કોઇ પ્રતિક્રિયા નહોતા કરી રહ્યાઇલાજ દરમિયાન તેણે રાતના 10:19 વાગ્યે દમ તોડી દિધો હતો. ફઓર્ટિસ હોસ્પિટલમાં શોકમાં ડૂપેલા પરિવાર માટે દુખ વ્યક્ત કર્યુ છે.
પોલિટિક્સમાં અલગ ઓળખાણ રાખનાર શરદ યાદવનો જન્મ 1 જુલાઇ 1947 ના મધ્ય પ્રદેશના હોશગાબાદના બદાઇ ગામમાં થયો હતો. વિદ્યાર્થી રાજનિતિથી લઇને બીહાર અને રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાની અળગ ઓળખ બનાવી હતી. શરદ યાદવ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પોતની ઓળખ બનાવી હતી.