આઇએમ અને લશ્કરે 3 શાર્પ શૂટર્સને આપી મોદીની સોપારી
નવી દિલ્હી, 29 જાન્યુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની હત્યા માટેની સોપારી આપવામાં આવી છે. આ માટે જે શાર્પ શૂટર્સને સોપારી આપવામાં આવી છે, તેમને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે, જો બોમ્બથી મોદીનું મોત ના નીપજે તો તેમને ગોળીઓછી છલ્લી કરી દેવામાં આવે. જી હાં, આતંકી સંગઠન ઇન્ડિય મુજાહિદ્દીન અને લશ્કર એ તૈયબાએ ત્રણ શાર્પ શૂટર્સ મોદીની હત્યા માટે તૈયાર કર્યા છે. આ વાતનો ખુલાસો આતંકી સમુહોના કોલ ઇન્ટરસેપ્ટ કર્યા બાદ આઇબીના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે.

આતંકીઓ વચ્ચે થયેલી વાતચીતથી જાણવા મળ્યું છે કે ચૂંટણી ગતિવિધિઓ વેગવંતી બનતા અને મોદીની વધુમાં વધુ રેલીઓને સંબોધિત કરવાના સમયે ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરશે. સૂત્રો અનુસાર મોદીની હત્યા માટે હૈદર અલી પ્રતિબંધિત સંગઠન સીમીના પુર્વ કાડરની સર્વિસનો પણ ઉપયોગ કરી રહ્યાં છે. 1 ઓક્ટોબરની મધ્યમાં મધ્ય પ્રદેશના ખંડવાની જેલમાંથી ફરાર સીમીના કાર્યકર્તાઓ અબુ ફજલ 24 ડિસેમ્બરે પકડાયો તે પહેલા આતંકીઓના સંપર્કમાં હતો. સૂત્રો અનુસાર ઇન્ડિયન મુજાહિદ્દીનના પ્લાનમાં મદદ માટે અબુ ફજલે હિજબુલ મુજાહિદ્દીન અને તહરીક એ તાલિબાનના સભ્યોનો સંપર્ક કર્યો હતો.












Click it and Unblock the Notifications
