શશિ થરૂરનો દાવો- ઘણા નેતા ઇચ્છતા હતા કે હું ચૂંટણી ના લડુ, રાહુલ ગાંધી સાથે દબાવ બનાવવાનો હતો પ્લાન
17 ઓક્ટોબરે કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાશે. આ દરમિયાન શશિ થરૂર તેમના પ્રચારમાં વ્યસ્ત છે. પ્રચાર દરમિયાન થરૂરે ખુલાસો કર્યો કે કોંગ્રેસના ઘણા નેતાઓ ઇચ્છતા હતા કે તેઓ અધ્યક્ષ પદ માટે ચૂંટણી ન લડે. આ માટે તેમણે ર
17 ઓક્ટોબરે કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાશે. આ દરમિયાન શશિ થરૂર તેમના પ્રચારમાં વ્યસ્ત છે. પ્રચાર દરમિયાન થરૂરે ખુલાસો કર્યો કે કોંગ્રેસના ઘણા નેતાઓ ઇચ્છતા હતા કે તેઓ અધ્યક્ષ પદ માટે ચૂંટણી ન લડે. આ માટે તેમણે રાહુલ ગાંધીને એમ પણ કહ્યું હતું કે તેઓ ઉમેદવારી પાછી ખેંચવા માટે મારી સાથે વાત કરે. જોકે, રાહુલે આમ કરવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે તે શશિ થરૂર પર કોઈ દબાણ લાવવા માંગતા ન હતા.

થરૂરે જણાવ્યુ હતુ કે રાહુલ ગાંધી ઇચ્છતા હતા કે હું અધ્યક્ષપદની ચૂંટણીમાં છું, જેથી પાર્ટીને ફાયદો થાય, તેઓ જે નેતાને સમર્થન આપવા માંગતા હોય તેને કરવો જોઈએ. રાહુલ ગાંધીએ તેમના વિરોધીઓને સ્પષ્ટપણે ના કહી દીધી હતી કે તેઓ મને ઉમેદવારી પાછી ખેંચવા માટે કહેશે નહીં. કેરળ પીસીસી ચીફ સુધાકરણે તાજેતરમાં મલ્લિકાર્જુન ખડગેને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. આ અંગે તેમણે કહ્યું કે મને લાગે છે કે તેમનું (સુધાકરણ) નિવેદન મધુસૂદન મિસ્ત્રીના પરિપત્ર પહેલા આવ્યું છે. હું તેના વિશે ફરિયાદ કરવાનો નથી. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ મને ખાતરી આપી છે કે કોઈ સત્તાવાર ઉમેદવાર નથી. તે તટસ્થ રહેશે.
કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા સોમવારે એક પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે AICC મહાસચિવ/પ્રભારી, સચિવ, સંયુક્ત સચિવ, પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC) પ્રમુખ, કોંગ્રેસ વિધાનમંડળ પક્ષ (CLP)ના નેતા, પ્રવક્તા વગેરે ઉમેદવારને પ્રમોટ કરશે નહીં.
થરૂરે વધુમાં કહ્યું કે તેમણે મલ્લિકાર્જુન ખડગેને પડકાર્યા નથી અને ન તો તેમની વચ્ચે વૈચારિક મતભેદ છે. પક્ષને કેવી રીતે આગળ લઈ જવો તે અંગે બંનેના મત અલગ છે. તે માત્ર એટલું જ ઈચ્છે છે કે પાર્ટી 2024માં સારું પ્રદર્શન કરે કારણ કે તે સમયે સ્થિતિ ખૂબ જ ખરાબ હશે.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
