સુનંદા મર્ડર કેસમાં થરૂરે તોડી ચુપ્પી, નિષ્પક્ષ તપાસની કરી માંગ
થ્રિસુર, 9 જાન્યુઆરી: કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે આજે સુનંદા મર્ડર કેસમાં પોતાની ચુપકીદી તોડતા જણાવ્યું છે કે આ કેસમાં નિષ્પક્ષ અને કોઇ રાજનૈતિક દખલગીરી વગર તપાસ થવી જોઇએ. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાના રિપોર્ટ આવ્યા બાદ દિલ્હી પોલીસ દ્વારા હત્યાનો મામલો નોંધાયાના ચાર દિવસ બાદ થરૂરે પોતાની ચુપ્પી તોડી છે.
પેરૂમબાઇલ આયુર્વેદિક તપાસ કેન્દ્રની બહાર પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે હું ચુપ છું એનો અર્થ એ નથી કે હું ગુનેગાર છું. હું આખું વર્ષ હું ચુપ રહ્યો છું. તેમણે જણાવ્યું કે હું આશા રાખું છું કે તપાસ યોગ્ય રીતે થશે અને હું સંપૂર્ણ સહયોગ કરીશ અને દરેક પ્રશ્નોના જવાબ પણ આપવા તૈયાર છું.

તેમણે જણાવ્યું કે સુનંદાના મૃત્યુ બાદ મે તત્કાલિન ગૃહ મંત્રાલયને પત્ર લખીને મામલાની નિષ્પક્ષ અને ઝડપી તપાસ કરવાની માંગ કરી હતી. વિશેષ દળના ગઠન પર તેમણે જણાવ્યું કે હું પોલીસને સંપૂર્ણ સહયોગ આપવા માટે તૈયાર છું. હું મારા સહયોગી અને સુનંદાના સહયોગી પોલીસને સંપૂર્ણ મદદ કરીશું.
તેમણે જણાવ્યું કે મીડિયાએ સુનંદાના મોતના મામલાને અસંવેદનશીલ બનાવી દીધો છે. તેમણે મીડિયાને વિનંતી કરતા જણાવ્યું કે સંવેદનશીલ મુદ્દાને યોગ્ય રીતે સંચાલિત કરે જેથી પીડિત પરિવારને કોઇ નુકસાન ના થાય.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
