Sheikh Haseena : ભારત શેખ હસીનાને ભારતની નાગરિકતા આપશે? જાણો શું કહે છે નિયમો?
Sheikh Hasina Citizenship : બાંગ્લાદેશમાં ભારે હિંસા બાદ સરકાર પલટાઈ જતા શેખ હસીનાને ભાગવાની ફરજ પડી હતી.
બાંગ્લાદેશની પુર્વ વડાપ્રધાન શેખ હસીના બાંગ્લાદેશથી ભાગીને ભારત આવી છે. આ સ્થિતીમાં એ સવાલ વારંવાર સામે આવી રહ્યો છે કે ભારત શેખ હસીનાને બાંગ્લાદેશની નાગરિકતા આપશે કે કેમ?

દેશ નિકાલનો સામનો કરી રહેલા બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના છેલ્લા ઘણા મહિનાઓથી ભારતમાં રહે છે. અહેવાલો અનુસાર તેણીએ ઇંગ્લેન્ડમાં આશ્રય માંગ્યો હતો પરંતુ તેને નકારી કાઢવામાં આવ્યો.
હાલ શેખ હસીના ભારતમાં રહે છે અને બાંગ્લાદેશની વર્તમાન યુનુસ સરકાર વારંવાર શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી રહી છે. જો કે એવી અફવા છે કે શેખ હસીનાને ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું છે, જો કે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયને તેની જાણ નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રફીકુલ આલમે કહ્યું છે કે શેખ હસીનાના ભારતમાં રહેવાના મુદ્દા પર ભારતે નિર્ણય લેવાનો છે, તેમને નાગરિકતા મળી છે કે નહીં તે અંગે અમારી પાસે કોઈ માહિતી નથી.
વિદેશથી ભાગીને આવેલા નેતાઓ માટે ભારતમાં નાગરિકતા મેળવવાની પ્રક્રિયા ભારતીય નાગરિકતા કાયદા અને સંબંધિત જોગવાઈઓ હેઠળ થાય છે. નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ ભારતમાં નાગરિકત્વ મેળવવા કેટલીક જોગવાઈઓ છે. કોઈપણ વિદેશીને ભારતીય નાગરિકતા મેળવવા માટે ઘણા માપદંડો પાર કરવા પડે છે. ભારતમાં નાગરિકતા ચાર મુદ્દાઓના આધારે આપવામાં આવે છે.
- જન્મના આધારે - જો વ્યક્તિનો જન્મ ભારતમાં થયો હોય.
- વંશ દ્વારા - તેના માતાપિતામાંથી કોઈ એક ભારતના નાગરિક છે.
- નોંધણીના આધારે - વ્યક્તિ ભારતમાં રહેવા માટે ચોક્કસ શરતો પૂર્ણ કરે છે.
- નેચરલાઈઝેશન દ્વારા - ઓછામાં ઓછા 12 વર્ષથી સતત ભારતમાં રહેતો હોય અને ભારતમાં રહેવા અને કાયદાનું પાલન કરવા માટેની બધી શરતો પૂર્ણ કરતો હોય.
જો કે ખાસ કિસ્સાઓમાં નાગરિકતા મેળવવા પ્રક્રિયાઓ અલગ હોય છે. આમાંથી પહેલું રાજકીય આશ્રય છે, જ્યાં જો કોઈ વિદેશી નેતા ભારતમાં રાજકીય આશ્રય માંગે છે અને તેને ભારત સરકારની મંજૂરી મળે છે તો તેને ભારતમાં રહેવાની અને નાગરિકતા પ્રાપ્ત કરવાની મંજૂરી મળી શકે છે.
જો કોઈ વ્યક્તિના નાગરિકત્વ મેળવવાથી ભારતના હિતોને ફાયદો થશે અથવા આંતરરાષ્ટ્રીય સંબંધો મજબૂત થશે તો સરકાર ખાસ નિર્ણય લઈ શકે છે અને તેને નાગરિકત્વ આપી શકે છે.
ભારત સરકારની વિદેશ નીતિ અનુસાર, જો કોઈ નેતા કે વિદેશી નાગરિક ભારતમાં રાજકીય આશ્રય માંગે છે તો તેનો નિર્ણય કેસ-ટુ-કેસ આધારે લેવામાં આવે છે. આ નિર્ણય ભારતની સુરક્ષા ચિંતાઓ, આંતરરાષ્ટ્રીય સંબંધો અને વ્યક્તિના રાજકીય કે સામાજિક ઇતિહાસને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
