Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sheikh Haseena : ભારત શેખ હસીનાને ભારતની નાગરિકતા આપશે? જાણો શું કહે છે નિયમો?

Sheikh Hasina Citizenship : બાંગ્લાદેશમાં ભારે હિંસા બાદ સરકાર પલટાઈ જતા શેખ હસીનાને ભાગવાની ફરજ પડી હતી.

બાંગ્લાદેશની પુર્વ વડાપ્રધાન શેખ હસીના બાંગ્લાદેશથી ભાગીને ભારત આવી છે. આ સ્થિતીમાં એ સવાલ વારંવાર સામે આવી રહ્યો છે કે ભારત શેખ હસીનાને બાંગ્લાદેશની નાગરિકતા આપશે કે કેમ?

Sheikh Hasina Citizenship

દેશ નિકાલનો સામનો કરી રહેલા બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના છેલ્લા ઘણા મહિનાઓથી ભારતમાં રહે છે. અહેવાલો અનુસાર તેણીએ ઇંગ્લેન્ડમાં આશ્રય માંગ્યો હતો પરંતુ તેને નકારી કાઢવામાં આવ્યો.

હાલ શેખ હસીના ભારતમાં રહે છે અને બાંગ્લાદેશની વર્તમાન યુનુસ સરકાર વારંવાર શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી રહી છે. જો કે એવી અફવા છે કે શેખ હસીનાને ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું છે, જો કે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયને તેની જાણ નથી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રફીકુલ આલમે કહ્યું છે કે શેખ હસીનાના ભારતમાં રહેવાના મુદ્દા પર ભારતે નિર્ણય લેવાનો છે, તેમને નાગરિકતા મળી છે કે નહીં તે અંગે અમારી પાસે કોઈ માહિતી નથી.

વિદેશથી ભાગીને આવેલા નેતાઓ માટે ભારતમાં નાગરિકતા મેળવવાની પ્રક્રિયા ભારતીય નાગરિકતા કાયદા અને સંબંધિત જોગવાઈઓ હેઠળ થાય છે. નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ ભારતમાં નાગરિકત્વ મેળવવા કેટલીક જોગવાઈઓ છે. કોઈપણ વિદેશીને ભારતીય નાગરિકતા મેળવવા માટે ઘણા માપદંડો પાર કરવા પડે છે. ભારતમાં નાગરિકતા ચાર મુદ્દાઓના આધારે આપવામાં આવે છે.

  • જન્મના આધારે - જો વ્યક્તિનો જન્મ ભારતમાં થયો હોય.
  • વંશ દ્વારા - તેના માતાપિતામાંથી કોઈ એક ભારતના નાગરિક છે.
  • નોંધણીના આધારે - વ્યક્તિ ભારતમાં રહેવા માટે ચોક્કસ શરતો પૂર્ણ કરે છે.
  • નેચરલાઈઝેશન દ્વારા - ઓછામાં ઓછા 12 વર્ષથી સતત ભારતમાં રહેતો હોય અને ભારતમાં રહેવા અને કાયદાનું પાલન કરવા માટેની બધી શરતો પૂર્ણ કરતો હોય.

જો કે ખાસ કિસ્સાઓમાં નાગરિકતા મેળવવા પ્રક્રિયાઓ અલગ હોય છે. આમાંથી પહેલું રાજકીય આશ્રય છે, જ્યાં જો કોઈ વિદેશી નેતા ભારતમાં રાજકીય આશ્રય માંગે છે અને તેને ભારત સરકારની મંજૂરી મળે છે તો તેને ભારતમાં રહેવાની અને નાગરિકતા પ્રાપ્ત કરવાની મંજૂરી મળી શકે છે.

જો કોઈ વ્યક્તિના નાગરિકત્વ મેળવવાથી ભારતના હિતોને ફાયદો થશે અથવા આંતરરાષ્ટ્રીય સંબંધો મજબૂત થશે તો સરકાર ખાસ નિર્ણય લઈ શકે છે અને તેને નાગરિકત્વ આપી શકે છે.

ભારત સરકારની વિદેશ નીતિ અનુસાર, જો કોઈ નેતા કે વિદેશી નાગરિક ભારતમાં રાજકીય આશ્રય માંગે છે તો તેનો નિર્ણય કેસ-ટુ-કેસ આધારે લેવામાં આવે છે. આ નિર્ણય ભારતની સુરક્ષા ચિંતાઓ, આંતરરાષ્ટ્રીય સંબંધો અને વ્યક્તિના રાજકીય કે સામાજિક ઇતિહાસને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X