મહારાષ્ટ્રમાં આજે MVY-ભાજપા આમને સામને, બને ગૃપ નીકળ્યા યાત્રા પર
આજે મહારાષ્ટ્રના છ્ત્રપતિ સંભાજી પર હર કોઇની નજર હશે. અંહિયા એક તરફ મહાવિકાસ અઘાડીની રેલી નીકળી તો બીજી તરફ સાવરકર ગૌરવ યાત્રા કાઢવામાં આવી હતી. આ રેલીને ભારતીય જનતા પાર્ટી એક નાથ શિદેની શિવસેના સાથે મળીને કાઢી હતી. મહત્વની વાત એ છે કે, રામનવમીના અવસર પર મહારાષ્ટ્રના આ જ શહેરમાં હિંસા જોવા મળી હતી. જણાવી દઇએ કે, મહાવિકાસ અઘાડીની રેલી સાંજે સાસ્કૃતિક મંડલ મેદાનમાં હશે. અહિયા પર શિવસેનાના મુખ્ય ઉદ્દવ ઠઆકેર એનસીપીના નેતા અજીત પવાર અને કોગ્રેસના નાના પટોલે હાજર રહેશે. વીડિયોના માધ્યથી શિવસેના ધારાસભ્ય અંબાદાસ ડાલે પાર્ટીના કાર્યકર્તાને કહ્યુ કે, શાંતિપૂર્ણ રીતે રેલી કાઢવામાં આવે કેમ કે રેલીને બે સમુદાય વચ્ચે વહેચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ભાજપા ની સાવરકર ગૌરવ યાત્રાની શુરુઆત ચૌકથી થશે ભાજપની યાત્રા સવરકરના સમ્માનમાં છે. સાથે જ તે લોકોના વિરોધમાં છે જે સાવરકર પર સવાલ ઉઠાવે છે. જણાવી દઇએ કે, રાહુલ ગાધી હમેશા સાવરકર પર નાશાન સાધે છે. જણાવી દઇએ કે, બુધવારે રાતે કારદપુરામાં રામનવમીના અવસર પર બે ગૃપમાં હિસા થિ હતી. જેમા એક વ્યક્તિની મૌત થઇ હતી. જ્યારે પોલીસ કર્મી ઘાયલ થયા હતા. ઘણી સાર્વજનકી સંપતિને નુક્સાન થયુ હતુ. ઘણી ગાડીઓને આગ લગવામાં આવી હતી.
હિસાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનુ ગઠન કરવામાં આવ્યુ છે. સંભાજી નગ રપોલીસ કમિશ્નર નિખિલ ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, ચાર આરોપીઓને હિંસા ભડકાવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. જેમનું નામ ઉમરાન ખાન, બિસ્મિલ્લા ખાન, સૈયદ કલીમ સૈયદ સલીમ, કરીમ સલીમ શેખ અને અનવર કાદર ખાન છે. આ તમામ લોકોને કોર્ટમાં રજુ કરવામાં આવશે. જ્યાં પાર્ટીએ એપ્રિલ સુધીના રિમાન્ડ મજુર કરવામાં આવ્યા છે. આ મામલે કુલ 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
