શિવ સેના ભદ્રાવતીમાં 'બાલ ઠાકરેનું મંદિર' બનાવશે

આ અંગે વાત કરતા શિવ સેનાના જિલ્લા પ્રમુખ બાલુ ધાનોરકરે જણાવ્યું છે કે "મંદિરોની નગરી ગણાતા ભદ્રાવતીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી બાલા સાહેબ ઠાકરેનું એક મંદિર નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરખાસ્તને શિવ સેનાના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ ઉદ્ધવ ઠાકરેની મંજૂરી મળી ગઇ છે. આથી મંદિર નિર્માણ માટે કરવી પડતી કાયદાકીય પ્રક્રિયાને શરૂ કરી દેવામાં આવી છે."
મંદિરની રૂપરેખા આપતા તેમણે જણાવ્યું કે મંદિર પાંચ એકર જમીનમાં ફેલાયેલું હશે. મંદિરમાં બગીચા ઉપરાંત, વાંચનાલય, કોમ્યુનિટી હોલ અને શિવ સેના સુપ્રીમોની તસવીરગાથા કહેતું એક કાયમી પ્રદર્શન તૈયાર કરવામાં આવશે.
આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂપિયા 2 કરોડનો ખર્ચ થવાની ગણતરી કરવામાં આવી છે. આ માટેનું ભંડોળ શિવ સેનાના ધારાસભ્યો, કોર્પોરેટર્સ અને સાંસદો તથા અન્ય રાજકીય આગેવાનો પાસેથી મેળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 વર્ષથી સિવિક બોડીમાં શિવ સેના શાસક પક્ષ રહી છે.
-
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર?










Click it and Unblock the Notifications
