સિંધુદૂર્ગમાં શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા તૂટી, PM મોદીએ ગયા વર્ષે કર્યુ હતુ અનાવરણ, વિપક્ષે ઘેર્યા
Sindhudurg Shivaji Maharaj Statue Collapses: મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં એક કિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનાવરણ કરાયેલ મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા સોમવારે તૂટી પડી હતી. માલવણના રાજકોટ કિલ્લામાં બપોરે 1 વાગ્યે 35 ફૂટ ઊંચી પ્રતિમા તૂટી પડી હતી. જોકે નિષ્ણાતો ચોક્કસ કારણ શોધી કાઢશે, આ જિલ્લામાં હાલમાં ભારે વરસાદ અને ભારે પવનનો કહેર યથાવત છે.
આ ઘટના બાદ વિપક્ષી દળોએ શિંદે સરકાર પર કામની ગુણવત્તાની કથિત ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને નુકસાનની સમીક્ષા કરવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વડા પ્રધાન મોદીએ ગયા વર્ષે 4 ડિસેમ્બરે નેવી ડેની ઉજવણી દરમિયાન કિલ્લા પર પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

NCP (SP)ના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી જયંત પાટીલે રાજ્ય સરકાર પર યોગ્ય કાળજી ન લેવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, "રાજ્ય સરકાર આ પતન માટે જવાબદાર છે, કારણ કે તેમણે યોગ્ય કાળજી લીધી ન હતી. સરકારે કામની ગુણવત્તા પર ઓછું ધ્યાન આપ્યું હતું. માત્ર એક કાર્યક્રમનું આયોજન કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રતિમાના અનાવરણ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ મહારાષ્ટ્ર સરકાર ફક્ત નવા ટેન્ડર બહાર પાડે છે, કમિશન સ્વીકારે છે અને તે મુજબ કોન્ટ્રાક્ટ આપે છે."
આ દરમિયાન શિવસેના (UBT) ધારાસભ્ય વૈભવ નાઈકે પણ કથિત નબળી ગુણવત્તાવાળા કામની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે, "રાજ્ય સરકાર કદાચ જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ કરી રહી છે. પ્રતિમાના નિર્માણ અને સ્થાપન માટે જવાબદાર લોકોની સંપૂર્ણ તપાસ થવી જોઈએ."
આ તરફ મહારાષ્ટ્રના મંત્રી દીપક કેસરકરે આ ઘટના પર ટિપ્પણી કરતા કહ્યું કે તેમની પાસે સંપૂર્ણ માહિતી નથી, પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે PWD મંત્રી રવિન્દ્ર ચવ્હાણ સંપૂર્ણ તપાસ સુનિશ્ચિત કરશે. તેમણે કહ્યું, "અમે એ જ સ્થાન પર નવી પ્રતિમા સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. વડાપ્રધાન મોદી દ્વારા અનાવરણ કરાયેલ આ પ્રતિમા, દરિયામાં કિલ્લો બનાવવાના શિવાજી મહારાજના દૂરંદેશી પ્રયાસોને શ્રદ્ધાંજલિ અર્પે છે. અમે આ બાબતને ઝડપથી અને અસરકારક રીતે ઉકેલવા માટે પ્રતિબદ્ધ છીએ. આ માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે.''
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
