શિવરાજ સિંહે સોનિયા ગાંધીને ફટકારી માનહાનિની નોટિસ
ભોપાલ, 18 નવેમ્બર: હાલમાં દેશમાં ચૂંટણીનો માહોલ સર્જાયો છે, દરેક પક્ષ અને દરેક નેતાઓ પોતાના પક્ષ તરફથી ચૂંટણી પ્રસારમાં લાગી ગયા છે. અને વિરોધી નેતા અને પક્ષ પર આરોપ પ્રત્યારોપોના બાણ છોડી રહ્યા છે. જેને પગલે કોઇ પક્ષની લાગણી પણ દુભાઇ શકે છે અને કોઇ નેતાનું માન પણ ગવાઇ શકે છે. મધ્યપ્રદેશમાં પણ એવું જ બન્યું છે.
મધ્યપ્રદેશમાં કોંગ્રેસ દ્વારા સમાચાર પત્રોમાં જારી કરવામાં આવેલી એક જાહેરાત પર વાંધો ઉઠાવતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસની રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કાંતિલાલ ભૂરિયાને માનહાનિની નોટિસ ફટકારી છે.
અધિવક્તા શશાંક શેખર દ્વારા મોકલવામાં આવેલ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સમાચારપત્રોમાં પ્રકાશિત જાહેરાતમાં કૂટરચિત અને અસત્ય માનહાનિકારક લેખ છે, તેને મારા પક્ષકારના માન સમ્માનને આઘાત પહુંચ્યું છે અને છબિ ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી છે. નોટિસમાં 15 દિવસની અંદર માફી નહીં માગવા પર કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી છે.