For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવસૈનિકોએ શિવાજી પાર્કમાંથી હટવ્યું બાળ ઠાકરેનું સ્મારક

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 18 ડિસેમ્બરઃ આર્થિક રાજધાની મુંબઇમાં શિવાજી પાર્કમાં તમામ બબાલો બાદ આખરે શિવસૈનિકોએ બાળા સાહેબ ઠાકરેનું અસ્થાયી સમારક હટાવી લીધું છે. સોમવારે મધ્યરાત્રીએ શરૂ થયેલી બબાલ મંગળવારે સવારે શાંત પડી હતી. જો કે, હજુ પણ સ્મારક હટાવવાનું થોડુંક કામ બાકી છે, જેને સાંજ સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે.

mumbai-police-at-shivaji-park
ગત રાત્રે શિવાજી પાર્કમાં જે થયું તેનાથી મીડિયાને દૂર રાખવામાં આવ્યું છે. ત્યાં હાજર રહેલા પ્રત્યક્ષદર્શી વનઇન્ડિયાને જણાવ્યું કે રાત્રે અંદાજે 12 વાગ્યા સુધી સેંકડો શિવસૈનિકો ઘટના સ્થળે પહોંચી ગયા. આ વચ્ચે તેઓ પોતાની સાથે સિમેન્ટ, મૌરંગ, ઇંટ અને બાલૂ લઇને આવ્યા હતા. તે શિવાજી પાર્કમાં સ્થિત અસ્થાયી સ્મારકને હટાવીને એક બીજા સ્થાને બનાવવા માંગતા હતા. આવા સમાચાર મળતાની સાથે જ મુંબઇ પોલીસ કમિશનર પ્રવીણ સાલુકે સાથે ઘણા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને જોત-જોતામાં મોટી ફોર્સ ત્યાં આવી ગઇ.

રાત્રે શિવસેનાના ઘણા નેતા ઘટના સ્થળે પહોંચ્યા. નેતાઓ સ્મારકને હટાવવા માટે રાજી હતા પરંતુ કાર્યકર્તાઓ નહીં. આખી રાત ચાલેલા હંગામામાં સવારે 5 વાગ્યે શિવસૈનિકો રાજી થઇ ગયા અને સ્મારક હટાવવાનું કામ શરૂ થયું. સ્મારક એ સ્થળે બનેલું છે, જે સ્થળે બાળા સાહેબને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા.

English summary
Shiv Sena workers on Tuesday removed the temporary structure at the funeral spot at Shivaji Park. This was the place where chief Bal Thackeray was cremated.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X