દિવ્યા પાહુજા હત્યા કેસમાં ચૌકાવનારા ખુલાસા, હેવાનિયતથી આવી રીતે કરાઈ હત્યા
મોડલ દિવ્યા પાહુજાની હત્યાને લઈને એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. આ ક્રમમાં તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘણી ચૌકાવનારી બાબતો સામે આવી છે.
દિવ્યા પાહુજાના મોતના 11 દિવસ બાદ હરિયાણાના ફતેહાબાદ જિલ્લામાં એક નહેરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિસારની અગ્રોહા મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યો હતો.

પોસ્ટમોર્ટમ દરમિયાન મોડલની આંખો પાસે ગોળીઓના ટુકડા મળી આવ્યા છે. શરીર પર ઈજાના ઘણા નિશાન છે. ઉપરાંત પોલીસ શરીરના ઘણા ભાગોને તપાસ માટે મધુબનની ફોરેન્સિક લેબમાં મોકલશે.
પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ દિવ્યાના પરિવારને સોંપવામાં આવ્યો છે. મોડલના ગુરુગ્રામના મદનપુરી સ્મશાનગૃહમાં મોડી રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
ગુરુગ્રામ ક્રાઈમ બ્રાંચના ઈન્સ્પેક્ટર બ્રહ્મ કુમારે જણાવ્યું કે, દિવ્યા પહુજાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ડોક્ટર મનમોહન, સંદીપ, નીતુ અને સંદીપની ટીમ દ્વારા કરવામાં આવ્યું. પોસ્ટમોર્ટમ પહેલા મૃતદેહનો એક્સ-રે કરવામાં આવ્યો જેથી જાણવા મળે કે ગોળી શરીરમાં ક્યાં અટકી છે.
એક્સ-રે પછી ડોકટરોની ટીમે લગભગ 2 વાગ્યે પોસ્ટમોર્ટમ શરૂ કર્યું. પોસ્ટમોર્ટમ લગભગ અઢી કલાક ચાલ્યું. આ દરમિયાન ખબર પડી કે મોડલને તેની આંખ ઉપર ગોળી વાગી હતી. શરીરની અંદરથી બુલેટના છરા પણ મળી આવ્યા છે.
જણાવી દઈએ કે, 2 જાન્યુઆરીએ દિવ્યા પહુજાને પાંચ લોકો હોટેલ સિટી પોઈન્ટમાં રૂમ નંબર 111ની અંદર લઈ ગયા અને માથામાં ગોળી મારી દીધી. ગુરુગ્રામ પોલીસે કહ્યું હતું કે દિવ્યા 56 વર્ષીય હોટલ માલિક અભિજીત સિંહને અશ્લીલ તસવીરો દ્વારા બ્લેકમેલ કરીને કથિત રીતે પૈસા પડાવી રહી હતી.
કોલકાતા એરપોર્ટ પરથી આરોપી બલરાજ ગિલની ધરપકડ બાદ પોલીસે તેની પૂછપરછ કરી હતી. આરોપીએ જણાવ્યું કે દિવ્યાનો મૃતદેહ સંગરુર જિલ્લાના મુનક પાસે એક નહેરમાં ફેંકી દેવામાં આવ્યો છે.
જે બાદ પોલીસ ટીમે ગુરુગ્રામના વરિષ્ઠ અધિકારીઓને આની જાણ કરી. ગુરુગ્રામ પોલીસે આ માહિતી મૃતદેહની શોધમાં લાગેલી તેની ટીમ અને પંજાબ પોલીસની ટીમને આપી હતી.
કેનાલ તોહના થઈ મુનાક થઈને પસાર થાય છે. પોલીસે NDRFની ટીમ સાથે શુક્રવારથી જ આ કેનાલમાં મૃતદેહની શોધખોળ શરૂ કરી દીધી હતી. શનિવારે સવારે લગભગ 10 વાગ્યે તોહનામાં કુડની હેડ નજીકથી દિવ્યાનો મૃતદેહ મળી આવ્યો હતો. પાણીમાં હોવાને કારણે શરીર ફૂલી ગયું હતું અને ઉપર આવી ગયું હતું.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
