જમ્મુ કાશ્મીરઃ શોપિયાંમાં અથડામણ, સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા
જમ્મુ કાશ્મીરઃ શોપિયાંમાં અથડામણ, સુરક્ષા દળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા
જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લાના કનિગમ વિસ્તારમાં ગુરુવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ. સુરક્ષાદળો સાથે આતંકવાદીઓની અથડામણ ગુરુવારે સવારે શરૂ થઈ છે. 3 આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા છે. વિસ્તારમાં હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એક આતંકવાદીએ આત્મસમર્પણ કર્યું છે. આતંકીનું નામ તૌસીફ અહમદ જણાવવામાં આવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસ મુજબ શોપિયાંના કનિગમ વિસ્તારમાં ઠાર મરાયેલા ત્રણ આતંકવાદીઓ અલ-બદ્ર આતંકી સંગઠનના હતા.

અલ-બદ્ર આતંકી સંગઠનમાં આ 4 સ્થાનિક આતંકવાદીઓને હાલ જ દાખલ કરવામાં આવ્યા હતા. સુરક્ષા દળોએ પહેલા તેમને ચારો તરફથી ઘેરી લીધા હતા. સુરક્ષા દળે આ ઓપરેશનને ઘણી ધીરજથી આગળ વધારી રહ્યા હતા કેમ કે પોલીસ અને સુરક્ષા દળોની કોશિશ એ ચારેય આતંકવાદીઓને આત્મસમર્પણ કરાવવાની હતી. પોલીસે કહ્યું કે આ ચારેય આતંકવાદી હાલમાં જ અલ બદ્ર આતંકી સંગઠનમાં સામેલ થયા હતા. પરંતુ તેમાંથી ત્રણ ઠાર મરાયા છે અને એકે સરેન્ડર કરી દીધું છે.
જણાવી દઈએ કે કોરોના કાળમાં પણ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે. બારામૂલા જિલ્લામાં મંગળવારે સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સુરક્ષા દળોએ બોમઈ ક્ષેત્રના નાથીપોરા વિસ્તારમાં ઘેરાબંધી અભિયાન શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની સૂચના મળી હતી.
જો કે મૃત આતંકવાદીઓની હાલ કોઈ ઓળખ નથી મળી શકી. કાશ્મીરના ડીજીપી વિજય કુમારે જાણકારી આપી હતી કે 29 માર્ચે સોપોરમાં બે કાઉન્સલર અને એક પોલીસકર્મીની હત્યા કરનાર એક વિદેશી આતંકવાદીને અથડામણમાં ઘેરી લેવાયો છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
