Shraddha Murder Case: આજે થશે આફતાબનો નાર્કો ટેસ્ટ, તૈયાર કરાઇ 50 પ્રશ્નોની યાદી
શ્રદ્ધા હત્યા કેસમાં દિલ્હી પોલીસ હવે આરોપી આફતાબ પૂનાવાલાનો નાર્કો ટેસ્ટ કરાવવાની તૈયારી કરી રહી છે. આજે આફતાબનો મેડિકલ ટેસ્ટ થશે, જેમાં તે નાર્કો ટેસ્ટ માટે શારીરિક રીતે તૈયાર છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. નાર્કો
શ્રદ્ધા હત્યા કેસમાં દિલ્હી પોલીસ હવે આરોપી આફતાબ પૂનાવાલાનો નાર્કો ટેસ્ટ કરાવવાની તૈયારી કરી રહી છે. આજે આફતાબનો મેડિકલ ટેસ્ટ થશે, જેમાં તે નાર્કો ટેસ્ટ માટે શારીરિક રીતે તૈયાર છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. નાર્કો ટેસ્ટ પહેલા આફતાબના અલગ-અલગ પેરામીટર પર મેડિકલ ટેસ્ટ થશે, જેનું પરિણામ આવ્યા બાદ જ દિલ્હીની આંબેડકર હોસ્પિટલમાં આફતાબનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર, દિલ્હી પોલીસે નાર્કો ટેસ્ટ માટે લગભગ 50 પ્રશ્નોની યાદી તૈયાર કરી છે. મહત્વની વાત એ છે કે મેડિકલ ટેસ્ટની સાથે આફતાબનો સાયકોલોજિકલ ટેસ્ટ પણ થશે. આવી સ્થિતિમાં આ બંને ટેસ્ટ પૂરા કરવા જરૂરી છે, આ પછી જ આફતાબનો નાર્કો ટેસ્ટ થશે, જો બંને ટેસ્ટ પૂરા નહીં થાય તો નાર્કો ટેસ્ટ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવી શકે છે.

50 પ્રશ્નોની લિસ્ટ તૈયાર
દિલ્હી પોલીસ શ્રદ્ધા હત્યા કેસમાં પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત છે. પોલીસ ટીમ અલગ-અલગ કડીઓ જોડીને આફતાબ વિરુદ્ધ પુરાવા એકત્ર કરી રહી છે. સૂત્રોનું માનીએ તો આંબેડકર હોસ્પિટલમાં આજે થનારો નાર્કો ટેસ્ટ પોલીસ માટે ખૂબ મહત્વનો છે. આ માટે પોલીસ ટીમે 50 પ્રશ્નોની યાદી તૈયાર કરી છે. નાર્કો ટેસ્ટ દરમિયાન ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ પણ હાજર રહેશે. નાર્કો ટેસ્ટ દરમિયાન અનેક ડોક્ટરોની પેનલ હાજર રહેશે, જેની દેખરેખમાં દિલ્હી પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રશ્નો આફતાબને પૂછવામાં આવશે.

ક્યા પહોંચી છે ઇનવેસ્ટીગેશન
શ્રદ્ધા હત્યા કેસની વાત કરીએ તો, દિલ્હી પોલીસની ટીમો હિમાચલ પ્રદેશના પાર્વતી વેલી, દેહરાદૂન અને ઋષિકેશમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અને શ્રદ્ધાના શરીરના ટુકડા શોધી રહી છે. આ સાથે દિલ્હી પોલીસની ટીમ મુંબઈની ફાઈવ સ્ટાર હોટલના સ્ટાફની પણ પૂછપરછ કરશે જ્યાં આફતાબ શેફ તરીકે કામ કરતો હતો. પોલીસને દિલ્હીના મહેરૌલીના જંગલમાંથી કેટલાક હાડકાં મળ્યા છે. પોલીસ ટીમને અત્યાર સુધીમાં 17 હાડકાં મળી આવ્યા છે, જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તે જ સમયે, દિલ્હી પોલીસની ટીમ હજુ સુધી આફતાબના પરિવારનો સંપર્ક કરી શકી નથી. પોલીસ ટીમ આફતાબના પરિવારને શોધી રહી છે.

સીબીઆઇ તપાસની માંગ
તમને જણાવી દઈએ કે શ્રદ્ધા મર્ડર કેસ જે રીતે હેડલાઈન્સમાં છે, દરેક વ્યક્તિ તેની ચર્ચા કરી રહી છે. હવે આ સમગ્ર મામલાની સીબીઆઈ તપાસની માંગ ઉઠી રહી છે. આ અંગે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં વકીલે માંગણી કરી છે કે આ ઘટના લગભગ 6 મહિના જૂની છે, તેથી દિલ્હી પોલીસ પાસે આ કેસ સંબંધિત પુરાવા એકત્ર કરવા માટે પૂરતી ટેક્નોલોજી નથી, તેમની પાસે પૂરતા સાધનો નથી, તેથી દિલ્હી પોલીસની ટીમ તપાસ કરી શકતી નથી. સીબીઆઇ સચોટ તપાસ કરી શકે છે

આફતાબનો પરીવાર ગાયબ
આફતાબના પરિવારની વાત કરીએ તો તેના પરિવારે 20 દિવસ પહેલા મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં સ્થિત તેમનું ઘર ખાલી કર્યું છે. પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે આફતાબ અહીં ભાડે રહેતો હતો, પરંતુ તેના પરિવારજનોએ 20 દિવસ પહેલા જ ઘર ખાલી કર્યું હતું. જોકે, આફતાબનો પરિવાર ક્યાં ગયો તે હજુ સુધી જાણી શકાયું નથી. દિલ્હી પોલીસની ટીમ શ્રદ્ધા અને આફતાબના સંબંધીઓ અને મિત્રોની પણ પૂછપરછ કરી રહી છે અને તેમના નિવેદનો નોંધી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી






Click it and Unblock the Notifications
