શ્રદ્ધાના હત્યારા આફતાબનો નાર્કો ટેસ્ટ સફળ, જાણો પોલીસને શું મળ્યુ?
દિલ્હીના ચકચારી શ્રદ્ધા હત્યાકેસના આરોપી આફતાબ પૂનાવાલાનો નાર્કો ટેસ્ટ સફળ રહ્યો છે. મળતી વિગતો અનુસાર, આફતાબનો નાર્કો ટેસ્ટ પુરા બે કલાક ચાલ્યો હતો.
નવી દિલ્હી : દિલ્હીના ચકચારી શ્રદ્ધા હત્યાકેસના આરોપી આફતાબ પૂનાવાલાનો નાર્કો ટેસ્ટ સફળ રહ્યો છે. મળતી વિગતો અનુસાર, આફતાબનો નાર્કો ટેસ્ટ પુરા બે કલાક ચાલ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અધિકારીઓ આફતાબ પૂનાવાલાને સવારે 8.40 વાગ્યે રોહિણીમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલમાં પહોંચ્યા અને લગભગ 10 વાગ્યે નાર્કો ટેસ્ટ શરૂ થયો હતો. તપાસ બાદ તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો હતો.

મળતી વિગતો અનુસાર, શ્રદ્ધાની હત્યાના આરોપી આફતાબ પૂનાવાલાનો નાર્કો ટેસ્ટ 2 કલાક સુધી ચાલ્યો હતો. આ પહેલા અધિકારીઓએ તેના નાર્કો ટેસ્ટ સંબંધી કાર્યવાહી પુરી કરી હતી અને સહમતીપત્ર વાંચીને સંભળાવવામાં આવ્યો હતો.
આ સાથે જોડાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર,આફતાબને સવારે 8:40 કલાકે રોહિણીના ડો. બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ટેસ્ટ પહેલા પૂનાવાલાના બ્લડ પ્રેશર, પલ્સ રેટ, શરીરનું તાપમાન અને ધબકારા તપાસવામાં આવ્યા હતા. સવારે 10:00 વાગ્યે નાર્કો ટેસ્ટ શરૂ થયો હતો. નાર્કો ટેસ્ટ બાદ તેને કડક નિરીક્ષણ હેઠળ રખાયો હતો.
આ મુદ્દે વાત કરતા વિશેષ પોલીસ કમિશનર સાગર પ્રીત હુડ્ડાએ કહ્યું કે, નાર્કો ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ટેસ્ટ સંપૂર્ણ રીતે સફળ રહ્યો છે અને આરોપી આફતાબ પૂનાવાલા એકદમ ઠીક છે. આફતાબને શુક્રવારે દિલ્હીની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં લઈ જવામાં આવી શકે છે. મળતી વિગતો અનુસાર, આફતાબના પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ દરમિયાન આપવામાં આવેલા જવાબોનું વિશ્લેષણ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
