JEE-NEETના છાત્રોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડશે સોનુ સૂદ, મદદ માટે લંબાવ્યો હાથ
સોનુ સૂદે આઈઆઈટી અને નીટની પરીક્ષામાં ભાગ લઈ રહેલા છાત્રોની મદદ માટે પોતાનો હાથ આગળ લંબાવ્યો છે.
નવી દિલ્લીઃ ફિલ્મ અભિનેતા સોનુ સૂદે લૉકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોને ઘણી મદદ કરી હતી. આ મજૂરોને તેમના ઘર સુધી પહોંચાડવામાં સોનુ સૂદ તેમના માટે મસીહા સાબિત થયા હતા. પરંતુ પોતાના આ અભિયાન બાદ પણ સોનુ સૂદ અલગ અલગ રીતે સતત લોકોની મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે. આ વખતે સોનુ સૂદે આઈઆઈટી અને નીટની પરીક્ષામાં ભાગ લઈ રહેલા છાત્રોની મદદ માટે પોતાનો હાથ આગળ લંબાવ્યો છે. સોનુ સૂદે સપ્ટેમ્બર મહિનામાં યોજાનાર જેઈઈ અને નીટની પરીક્ષામાં ભાગ લઈ રહેલા છાત્રોની યાત્રાની વ્યવસ્થા કરવાની વાત કહી છે. તમને જણાવી દઈએ કે છાત્ર જેઈઈ અને નીટની પરીક્ષાને સ્થગિત કરવાની માંગ કરી રહ્યા છે જ્યારે વિપક્ષ પ્રવેશ પરીક્ષાની જગ્યાએ કોઈ બીજો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી રહ્યા છે.

સોનુ સૂદે મદદ માટે લંબાવ્યો હાથ
સોનુ સૂદે કહ્યુ કે જો જેઈઈ અને નીટની પરીક્ષા થાય તો બધા છાત્રો જે આ પરીક્ષામાં શામેલ થઈ રહ્યા છે અને તે બિહાર, અસમ, ગુજરાતમાં પૂરના કારણે ફસાયેલા હોય તો મારો સંપર્ક કરી શકે છે, મને જણાવે, હું તમારી યાત્રાની વ્યવસ્થા કરવાની કોશિશ કરીશ. હું તમને લોકોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા માટે દરેક સંભવ મદદ કરવાની કોશિશ કરીશ. કોઈ પણ એવુ ન હોવુ જોઈએ જે પરીક્ષામાં સંશાધનોની કમીના કારણે શામેલ ન થઈ શકે.

છાત્રોએ વ્યક્ત કરી પીડા
વાસ્તવમાં એક છાત્રનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે જેમાં છાત્ર પોતાની પીડાને વ્યક્ત કરી રહ્યો છે. તે કહે છે કે લોન લઈ રાખી છે, રાશન નથી, પરીક્ષા કેન્દ્ર કલાકોના અંતરે છે. પ્રાઈવેટ કાર હાયર નથી કરી શકતો કારણકે એટલા પૈસા નથી. ઘરમાં પિતા એકલા કમાનાર છે, કોવિડનુ જોખમ અલગથી છે. મારા પિતા ખૂબ ગરીબ છે, કોરોના કાળમાં અમે માંડ જીવી રહ્યા છે. એવામાં અમે કેવી રીતે પરીક્ષામાં શામેલ થઈ શકીશુ. આ વીડિયોને રીટ્વિટ કરીને સોનુ સૂદે મદદનો હાથ લંબાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સોનુ સૂદે પણ જેઈઈ-નીટની પરીક્ષા પર છાત્રોની માંગનુ સમર્થન કર્યુ હતુ.

સરકારે કર્યુ પરીક્ષાનુ સમર્થન
વળી, સરકાર પરીક્ષાના આયોજનનુ સમર્થન કરી રહી છે. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે એક ટ્વિટ દ્વારા જણાવ્યુ છે કે એનટીએ ડીજીના જણાવ્યા મુજબ જેઈઈ મેઈન્સ પરીક્ષામાં બેસનાર કુલ 8.58 લાખ પરીક્ષાર્થીઓમાંથી 7.5 લાખે જેઈઈના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે જ્યારે નીટ 2020 ટેસ્ટ માટે બેસનાક 15.97 લાખ પરીક્ષાર્થીઓમાંથી લગભગ 13 લાખે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે. જે દર્શાવે છે કે છાત્રો પરીક્ષાના સમર્થનમાં છે અને તે કોઈ પણ કિંમતે પરીક્ષામાં બેસવા માંગે છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
