સોપોર એનકાઉન્ટરઃ શ્રીગનરથી 50 કિમી દૂર 2 આતંકી ઠાર મરાયા
જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લામાં આવતા સોપોરમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચેના એનકાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા છે. હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લામાં આવતા સોપોરમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચેના એનકાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા છે. હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. સોપોરમાં જે જગ્યાએ આજે એનકાઉન્ટર થયુ છે તે જગ્યા રાજધાની શ્રીનગરથી 50 કિમી દૂર છે. આ એનકાઉન્ટર સોપોરના દ્રૂસુમાં થયુ છે. આ ઓપરેશનને સેનાની 22 રાષ્ટ્રીય રાઈફલ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલિસની જોઈન્ટ ટીમે અંજામ આપ્યો છે. માર્યા ગયેલા આતંકીઓના નામ બિલાલ અહમદ અને જૂહુર અહમદ જણાવવામાં આવે છે. એનકાઉન્ટરમાં એ એન્જિનિયર પણ માર્યા ગયા છે જે થોડા દિવસ પહેલા પોતાના ઘરેથી ગાયબ થઈ ગયા હતા.

વિદ્યાર્થીના પરિવારે કરી હતી સરેન્ડરની અપીલ
એનકાઉન્ટરમાં એક વ્યક્તિ ખુરશીદ અહમદ બટના માર્યા જવાના પણ સમાચાર છે. ખુરશીદ પુલવામાનો રહેવાસી હતો. તે બીટેકનો વિદ્યાર્થી હતો અને તેના પરિવારે તેને સરેન્ડર કરવાની અપીલ પણ કરી હતી. પરંતુ તેણે પોતાના પરિવારની અપીલને સાંભળી નહિ. વિસ્તારને સુરક્ષાબળોએ હાલમાં ઘેરી લીધુ છે અને કોઈને પણ બહાર જવાની પરવાનગી નથી. જમ્મુ કાશ્મીર પોલિસ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ સુરક્ષાબળોએ આ વિસ્તારમાં આતંકીઓની હાજરી અંગેની ઈન્ટેલીજન્સ રિપોર્ટ મળી હતી. ત્યારબાદ આ વિસ્તારને જ્યારે ઘેરી લેવામાં આવ્યો તો તે સમયે ફાયરિંગ શરૂ થઈ ગયુ જે એનકાઉન્ટરમાં તબદીલ થઈ ગયુ. આતંકીઓ પાસેથી સુરક્ષાબળોને ભારે માત્રામાં હથિયારો પણ મળી આવ્યા છે.
ગુરુવારે જમ્મુ કાશ્મીરના કુપવાડામાં પણ સેના અને સુરક્ષાબળ વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે ફાયરિંગ ચેક નાકા પર થયુ હતુ. કુપવાડામાં થયેલા એનકાઉન્ટર બાદ સેનાએ ઈન્ટેલીડન્સ રિપોર્ટના આધાર પર ગુરુવારે મોડી રાતે દ્રૂસુમાં કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન (કાસો) લોન્ચ કર્યુ હતુ. સૂત્રો મુજબ માર્યા ગયેલા આતંકીઓનો સંબંધ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે છે. એનકાઉન્ટરના કારણે પ્રશાસન તરફથી રાફિયાબાદ અને સોપોર વિસ્તારમાં બધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
