સોપોર એનકાઉન્ટરઃ શ્રીગનરથી 50 કિમી દૂર 2 આતંકી ઠાર મરાયા
જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લામાં આવતા સોપોરમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચેના એનકાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા છે. હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લામાં આવતા સોપોરમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચેના એનકાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા છે. હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. સોપોરમાં જે જગ્યાએ આજે એનકાઉન્ટર થયુ છે તે જગ્યા રાજધાની શ્રીનગરથી 50 કિમી દૂર છે. આ એનકાઉન્ટર સોપોરના દ્રૂસુમાં થયુ છે. આ ઓપરેશનને સેનાની 22 રાષ્ટ્રીય રાઈફલ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલિસની જોઈન્ટ ટીમે અંજામ આપ્યો છે. માર્યા ગયેલા આતંકીઓના નામ બિલાલ અહમદ અને જૂહુર અહમદ જણાવવામાં આવે છે. એનકાઉન્ટરમાં એ એન્જિનિયર પણ માર્યા ગયા છે જે થોડા દિવસ પહેલા પોતાના ઘરેથી ગાયબ થઈ ગયા હતા.

વિદ્યાર્થીના પરિવારે કરી હતી સરેન્ડરની અપીલ
એનકાઉન્ટરમાં એક વ્યક્તિ ખુરશીદ અહમદ બટના માર્યા જવાના પણ સમાચાર છે. ખુરશીદ પુલવામાનો રહેવાસી હતો. તે બીટેકનો વિદ્યાર્થી હતો અને તેના પરિવારે તેને સરેન્ડર કરવાની અપીલ પણ કરી હતી. પરંતુ તેણે પોતાના પરિવારની અપીલને સાંભળી નહિ. વિસ્તારને સુરક્ષાબળોએ હાલમાં ઘેરી લીધુ છે અને કોઈને પણ બહાર જવાની પરવાનગી નથી. જમ્મુ કાશ્મીર પોલિસ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ સુરક્ષાબળોએ આ વિસ્તારમાં આતંકીઓની હાજરી અંગેની ઈન્ટેલીજન્સ રિપોર્ટ મળી હતી. ત્યારબાદ આ વિસ્તારને જ્યારે ઘેરી લેવામાં આવ્યો તો તે સમયે ફાયરિંગ શરૂ થઈ ગયુ જે એનકાઉન્ટરમાં તબદીલ થઈ ગયુ. આતંકીઓ પાસેથી સુરક્ષાબળોને ભારે માત્રામાં હથિયારો પણ મળી આવ્યા છે.
ગુરુવારે જમ્મુ કાશ્મીરના કુપવાડામાં પણ સેના અને સુરક્ષાબળ વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે ફાયરિંગ ચેક નાકા પર થયુ હતુ. કુપવાડામાં થયેલા એનકાઉન્ટર બાદ સેનાએ ઈન્ટેલીડન્સ રિપોર્ટના આધાર પર ગુરુવારે મોડી રાતે દ્રૂસુમાં કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન (કાસો) લોન્ચ કર્યુ હતુ. સૂત્રો મુજબ માર્યા ગયેલા આતંકીઓનો સંબંધ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે છે. એનકાઉન્ટરના કારણે પ્રશાસન તરફથી રાફિયાબાદ અને સોપોર વિસ્તારમાં બધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
