Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સોનિયા ગાંધીએ શિવસેનાને સમર્થન આપવાની અટકળો ફગાવીઃ મીડિયા રિપોર્ટ્સ

મહારાષ્ટ્રના રાજકારણમાં બની રહેલ નવા સત્તાના સમીકરણોને જોતા સોનિયા ગાંધીએ શિવસેનાને સમર્થન આપવાનો ઈનકાર કરી દીધો છે.

મહારાષ્ટ્રની રાજનીતિ માટે સોમવારે મુલાકાતોનો દોર ચાલુ રહ્યો. દેવેન્દ્ર ફડણવાસે જ્યાં અમિત શાહ સાથે મુલાકાત કરી ત્યાં એનસીપી પ્રમુખ શરદ પવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી જ્યારે શિવસેના નેતા સંજય રાઉત રાજ્યપાલને મળ્યા. આ દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યા છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં બની રહેલ નવા સત્તાના સમીકરણોને જોતા સોનિયા ગાંધીએ શિવસેનાને સમર્થન આપવાનો ઈનકાર કરી દીધો છે.

શરદ પવારે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી

શરદ પવારે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી

શરદ પવારે સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. ત્યારબાદ તેમણે કહ્યુ અમે સોનિયાજી સાથે મુલાકાત કરીને તેમને મહારાષ્ટ્રની મૂળ સ્થિતિની માહિતી આપી છે. તેમની સાથે સરકાર બનાવવા અંગ કઈ વિશેષ વાતચીત નથી થઈ. જો કે ફરીથી મુલાકાત કરવા પર સંમતિ બની છે. રિપોર્ટ્સ મુજબ સૂત્રોએ જણાવ્યુ કે સોનિયા ગાંધીએ શિવસેનાને સમર્થન આપવાની અટકળોને ફગાવી દીધી છે.

કાલે ફરીથી સોનિયા ગાંધીને મળવાના શરદ પવાર

કાલે ફરીથી સોનિયા ગાંધીને મળવાના શરદ પવાર

શરદ પવારે કહ્યુ કે રાજ્યમાં ભાજપને સત્તામાં આવવાથી રોકવા માટે આ રીતના ગઠબંધનના પક્ષમાં છે. વળી તેમણે મીડિયાને જણાવ્યુ કે કાલે તે ફરીથી સોનિયા ગાંધીને મળવાના છે. જેનાથી સંકેત મળે છે કે આજની ચર્ચાઓનુ અનુકૂળ પરિણામ નથી નીકળ્યુ. જો કે પવારે એ પણ કહ્યુ કે રાજ્યના લોકોએ અમને વિરોધ પક્ષમાં બેસવાનો જનાદેશ આપ્યો છે. હાલમાં અમારી પાસે સરકાર બનાવવા માટે આંકડો નથી. ભાજપ અને તેમના સહયોગીઓ પાસે જો આંકડો હોય તો સરકાર બનાવવાની જવાબદારી તેમની પાસે છે. અમે જોઈએ આગળ શું થાય છે.

સીએમ પદ માટે બંને પક્ષોમાં ચાલી રહી ખેંચતાણ

સીએમ પદ માટે બંને પક્ષોમાં ચાલી રહી ખેંચતાણ

સંજય રાઉત તરફથી રાકાંપા નેતા અજીત પવાર સાથે મુલાકાતના સવાલ પર પવારે કહ્યુ કે શિવસેનાએ ભાજપ સામે મહારાષ્ટ્રમાં એક મોટુ પગલુ ઉઠાવ્યુ છે. સરકાર માટે અમારી શિવસેના કે કોઈ બીજા સાથે વાતચીત નથી થઈ અને ના તેમણે અમને કોઈ ઑફર કરી. મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 સીટો પર થયેલી ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, રાકાંપાને 54 અને કોંગ્રેસને 44 સીટો પર જીત મળી છે. ભાજપ-શિવસેના ગઠબંધન પાસે બહુમત માટે જરૂર 145ના મુકાબલે 161 સીટો છે. તેમછતાં બંને વચ્ચે મુખ્યમંત્રી પદ માટે મતભેદના કારણે અત્યાર સુધી સરકાર બની શકી નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X