SP નેતાની પત્ની સુરૈયા બેગમની હત્યા, કોથળામાં લાશ ફેંકી
યુપીના મુઝફ્ફરનગરમાં સપા નેતાની પત્ની સુરૈયા બેગમની હત્યાનો સનસની મામલો સામે આવ્યો છે. સુરૈયા બેગમ છેલ્લા 8 દિવસથી લાપતા હતી.
યુપીના મુઝફ્ફરનગરમાં સપા નેતાની પત્ની સુરૈયા બેગમની હત્યાનો સનસની મામલો સામે આવ્યો છે. સુરૈયા બેગમ છેલ્લા 8 દિવસથી લાપતા હતી. પોલીસને મહિલાની લાશ કોથળામાં બંધ કરીને ગંગ નહેરથી મેળવવામાં આવી. પોલીસે હત્યામાં શામિલ એક મહિલા સહીત ત્રણ હત્યારાઓની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી આપ્યા છે.
આ પણ વાંચો: મહિલા ફેશન ડિઝાઈનરના શરીર પર 100 વાર ચૂપ્પૂથી હુમલો, આંતરડાઓ બાથરૂમમાં ફેંક્યા
8 દિવસથી લાપતા હતી
મળતી જાણકારી અનુસાર આખો મામલો મુઝફ્ફર નગરના કોતવાલી વિસ્તારનો છે. અહીં સુરૈયા બેગમ 18 ડિસેમ્બરે ઇસ્લામનગર નિવાસી મહિલાને ઉધાર આપેલા પૈસા લેવાની વાત કહીને ઘરથી નીકળી હતી, ત્યારપછી જ તે લાપતા હતી. તેમની દીકરી હુમાએ તેમની લાપતા થવાની રિપોર્ટ નોંધાવી. સોમવારે જ પરિવારે કંઈક અનહોની થયાની આશંકા વ્યકત કરીને પોલીસ ચોકીમાં હંગામો પણ કર્યો હતો.
એસએસપી ઘ્વારા ટીમ ગઠિત કરવામાં આવી
આપને જણાવી દઈએ કે સુરૈયા બેગમ વર્ષ 2012 માં નગર પંચાયત ખાંતોલી થી ચેરમેન પદથી ચૂંટણી પણ લડી ચુકી છે. જેને કારણે આખા વિસ્તારમાં સુરૈયાના લાપતા થવા પર સામાન્ય જનતામાં રોષ હતો. પરિજનો અને સમર્થકો ઘ્વારા પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. ત્યારપછી મુઝફ્ફરનગર એસએસપી સુધીર કુમારે ગુમશુદા મહિલાની તલાશ માટે એક સ્પેશ્યલ ટીમ પણ ગઠિત કરી હતી.
કોથળામાં બંધ કરીને ગંગનહેરમાં લાશ ફેંકી
પોલીસ ટીમે મોહોલ્લ ઇસ્લામનગર નિવાસી ઝાહીદા અને તેના પતિની ધરપકડ કરી લીધી છે. પોલીસ પૂછપરછમાં આરોપીઓ ઘ્વારા સુરૈયાનું ગળું દબાવી હત્યા કરવા અને લાશને કોથળામાં બંધ કરીને ગંગનહેરમાં ફેંકવાનો ગુનો કબૂલ કર્યો.
પોલીસે જણાવ્યું કે લેવડદેવડમાં હત્યા થઇ
ઇન્સ્પેક્ટર સંતોષ કુમાર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે લેવડદેવડ વિવાદમાં સુરૈયાની હત્યા કરવામાં આવી, જેના ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. હંગામાની આશંકાને કારણે ઘણી ચોકીઓની ફોર્સ ગોઠવી દેવામાં આવી છે. સુરૈયા બેગમ વર્ષ 2012 માં નગર પંચાયત ખાંતોલી થી ચેરમેન પદથી ચૂંટણી પણ લડી ચુકી છે.