અટલ બિહારી સ્વતંત્ર ભારતના સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન: અડવાણી
નવી દિલ્હી, 3 મે: લગભગ એક દાયકાથી પોતે વડાપ્રધાન બને તેની રાહ જોઇ રહેલા ભાજપના વયોવૃદ્ધ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ ફરી એકવાર મનમોહન સિંહને સૌથી નબળા વડાપ્રધાન ગણાવ્યા છે. તેમને કહ્યું હતું કે પોતાના નબળા વ્યક્તિત્વના કારણે જ તે વડાપ્રધાન કાર્યાલયની શક્તિઓનો સદઉપયોગ કરી શક્યાં નથી. આ કારણે જ ભલે ઇમાનદાર રહ્યાં હોય પરંતુ ઇતિહાસમાં જ્યારે તેમના કાર્યકાળની સમીક્ષા કરવામાં આવશે તો તેને દેશનો સૌથી ભ્રષ્ટ શાસનકાળ કહેવામાં આવશે.
આ સાથે જ અડવાણીએ પૂર્વ વડાપ્રધાન અટલબિહાર બાજપેયને ભારતના સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આટલા મોટા પદે હોવાછતાં તેમનામાં અશિષ્ટતા કે ધમંડ ન હતો. લાલકૃષ્ણ અડવાણીના અનુસાર મનમોહન સિંહ કોઇપણ લોકસભાની ચૂંટણી જીત્યા વિના કોંગ્રેસના શાસનમાં લગભગ એક દાયકા સુધી વડાપ્રધાન રહ્યાં જેમને દેશની સૌથી મોટી ભ્રષ્ટ સરકાર ચલાવી.

પોતાના જુના વક્તવ્યનો ઉલ્લેખ કરતાં લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે મેં જ્યારે 2009માં દેશના સૌથી નબળા વડાપ્રધાન કહ્યાં હતા તો લોકોએ તેના પર આપત્તિ વ્યક્ત કરી હતી પરંતુ હવે મીડિયા અને નિયંત્રક અને મહાલેખા પરીક્ષકોની આ રિપોર્ટથી પણ સાબિત થઇ ગયું છે કે તે પ્રભાવશાળી નથી. તેમને જવાહર લાલ નહેરૂ અને ઇન્દિરા ગાંધીના વડાપ્રધાનકાળની નિંદા કરી અને કહ્યું હતું કે નહેરૂના શાસનકાળ દરમિયાનમાં દેશને ચીન સામે હારનું અપમાન સહન કરવું પડ્યું હતું તો ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી લગાવીને લોકતાંત્રિક મૂલ્યોનું હનન કર્યું હતું. લાલકૃષ્ણ અડવાણીએ પોતાના બ્લોગ પર પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી અને મોરારજી દેસાઇની પ્રશંસા કરી છે.
-
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: 13 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત -
IMD Weather Forecast Today: ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવની આશંકા, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
પીએમ કિસાનનો 22મો હપ્તો જારી કરાયો, આવી રીતે કરો ચેક -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG સિલિન્ડરને લઈને સરકારનો લુલો બચાવ, સંસદમાં કોઈ અછત ન હોવાનું ગાણું ગાયું










Click it and Unblock the Notifications
