ઈમરાન ખાન ચપરાસી છે પાકિસ્તાનને ISI, સેના અને આતંકીઓ ચલાવે છેઃ સ્વામી
ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી હંમેશા પોતાના વિવાદિત નિવેદનો માટે ચર્ચામાં રહે છે. આ વખતે તેમણે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન અંગે વિવાદિત નિવેદન આપ્યુ છે.
ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી હંમેશા પોતાના વિવાદિત નિવેદનો માટે ચર્ચામાં રહે છે. આ વખતે તેમણે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન અંગે વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમણે ઈમરાન ખાનની તુલના ચપરાસી સાથે કરી છે. સ્વામીએ કહ્યુ કે ઈમરાન ખાન બીજુ કંઈ નહિ પરંતુ ચપરાસી છે. એટલુ જ નહિ સ્વામીએ પાકિસ્તાનની સરકાર અને સેના અંગે પણ નિવેદન આપ્યુ છે જેના કારણે તે ચર્ચામાં છે.

સ્વામીએ કહ્યુ કે પાકિસ્તાનને અહીંની ખુફિયા એજન્સી આઈએસઆઈ, સેના અને આતંકવાદી ચલાવે છે. માટે ઈમરાન ખાનને તમે પ્રધાનમંત્રી બોલાવી શકો છો પરંતુ તે પ્રધાનમંત્રી નહિ પરંતુ પાકિસ્તાન સરકારના ચપરાસી છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ પાકિસ્તાનમાં થયેલ ચૂંટણી બાદ ઈમરાન ખાનના પક્ષને જીત મળી હતી અને ત્યારબાદ તે પ્રધાનમંત્રી બન્યા હતા. ત્યારબાદથી જ તેમના પર સવાલો થઈ રહ્યા છે. તેમના પર આરોપ લાગી રહ્યા છે કે તે પાકિસ્તાનની સેનાના પ્રતિનિધિ છે.












Click it and Unblock the Notifications
