મોત પહેલા માત્ર સિગારેટ અને નારિયેળ પાણી પી રહ્યાં હતા સુનંદા પુષ્કર

નવી દિલ્હી, 19 જાન્યુઆરીઃ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરની પત્ની સુનંદા થરૂરનો મૃતદેહ શુક્રવારે સાંજે સંદિગ્ધ અવસ્થામાં દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલ ‘લીલા'ના રૂમ નંદર 345માંથી મળ્યો હતો. ગઇ કાલે શનિવારે સુનંદાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. હજુ તેમની ચિતાની આગ ઠંડી પણ નથી પડી ત્યાં મોત પહેલા થરૂર પરિવારમાં તણાવ અને ઝઘડાની વાતો બહાર આવી રહી છે. શશિ થરૂરને ત્યાં કામ કરનાર નારાયણે પૂછપરછમાં પોલીસે જણાવ્યું છે કે સુનંદાના મોતથી એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે રાત્રે શશિ થરૂર એ હોટલના સુઇટમાં સોફા પર જ ઉંઘી ગયા હતા, જ્યાં સુનંદા એરપોર્ટથી આવ્યા બાદ રોકાયા હતા.

sunanda-pushkar
નારાયણે પોલીસને જણાવ્યું કે, મોતના ત્રણ દિવસ પહેલાથી જ સુનંદા ઘણી પરેશાન જોવા મળ્યા હતા અને ખાવાનું નહોતા ખાઇ રહ્યાં. નારાયણે જણાવ્યું કે, સુનંદા માત્ર સિગારેટ અને નારિયેળ પાણીનું સેવન કરી રહ્યાં હતા. બીજી તરફ એ વાતો પણ બહાર આવી રહી છે કે શશિ થરૂર અને તેમના પત્ની સુનંદા પુષ્કર વચ્ચે 15 જાન્યુઆરીએ કેરળના તિરુવનંતપુરમથી ફ્લાઇટથી દિલ્હી આવતી વખતે યાત્રા દરમિયાન ઘણો ઝઘડો થયો હતો. એક અંગ્રેજી સમાચાર પત્ર અનુસાર વિમાનમાં થયેલા ઝઘડનાને ત્યાં બેસેલા અન્ય લોકોએ પણ જોયો હતો.

ખાસ વાત એ છે કે આ ઝડપના સાક્ષી કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારી પણ હતા, જે મુંબઇથી આ જ વિમાનમાં સફર કરી રહ્યાં હતા. એટલું જ નહીં, બન્ને વચ્ચે ઝઘડો દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા પછી પણ નહોતો બંધ થયો અને બન્ને વચ્ચે બોલાચાલી થતી રહી. થરૂરના ઝઘડાનું કારણ હજું પણ એક રહસ્ય બનેલું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X