દિવાળીમાં ફટાકડા ફોડવા માટે સુપ્રીમ કોર્ટની આ છે શરતો, જાણો
દેશભરમાં ફટાકડાનું વેચાણ થશે કે નહિ તેના પર સુપ્રીમ કોર્ટે આજે ખૂબ જ મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે.
દેશભરમાં ફટાકડાનું વેચાણ થશે કે નહિ તેના પર સુપ્રીમ કોર્ટે આજે ખૂબ જ મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે દેશભરમાં ફટાકડા સંપૂર્ણપણે પ્રતિબંધિત નહિ થાય પરંતુ ફટાકડા ફોડવા માટે સુપ્રીમ કોર્ટે અમુક શરતો સાથે મંજૂરી આપી છે. ફટાકડા વેચવા માટે પણ કોર્ટે નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યુ કે દિવાળીના દિવસે 2 કલાક જ ફટાકડા ફોડી શકાશે. ફટાકડાના વેચાણ અંગેના કોર્ટના નિર્દેશ બધા તહેવારો અને લગ્નો પર પણ લાગુ રહેશે. આવો જાણીએ ફટાકડા માટે શું છે સુપ્રીમ કોર્ટની શરતો...

સુપ્રીમ કોર્ટે શરતો સાથે ફટાકડા ફોડવાની આપી મંજૂરી
1. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે દિવાળી પર માત્ર બે કલાક એટલે કે રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે.
2. ક્રિસમસ અને ન્યૂ યર પર 11.45 થી 12.15 સુધી જ ફટાકડા ફોડી શકાશે.
3. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નિર્દેશ આપતા કહ્યુ કે ઓછા એમિશનવાળા ફટાકજાને જ મંજૂરી આપવામાં આવશે.
4. માત્ર લાયસન્સધારકો જ ફટાકડા વેચી શકશે.
5. આ ઉપરાંત કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ છે કે ઓનલાઈન ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ચાલુ રહેશે.

તહેવારો અને લગ્નો પર પણ નિર્દેશ લાગુ
6. અદાલતે કહ્યુ કે ઓછા પ્રદૂષણવાળા ફટાકડાનો ઉપયોગ કરવો જેથી પર્યાવરણને કોઈ નુકસાન ન થાય.
7. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે ફટાકડામાં હાનિકારક કેમિકલ ન હોવા જોઈએ.
8. કોર્ટે નિર્દેશ આપ્યા છે કે ફટાકડની ફેક્ટ્રીની તપાસ કરવી.
9. કોર્ટ દ્વારા નક્કી કરેલી સમયમર્યાદા સમગ્ર દેશમાં લાગુ થશે અને કોર્ટના આદેશસ પર અમલ કરવા માટે દરેક વિસ્તારમાં SHO જવાબદાર રહેશે.
10. આદેશનું પાલન નહિ કરવાની સ્થિતિમાં SHO ને પર્સનલી કોર્ટની અવગણનાના દોષિત માનવામાં આવશે. આ પહેલા સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે દેશભરમાં ફટાકડાના પ્રતિબંધની માંગનો વિરોધ કર્યો હતો.

કેન્દ્રએ સંપૂર્ણપણે ફટાકડા પ્રતિબંધિત કરવાનો વિરોધ કર્યો હતો
આ પહેલા સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે દેશભરમાં ફટાકડા પર પ્રતિબંધની માંગનો વિરોધ કર્યો હતો. કેન્દ્રએ કહ્યુ કે ફટાકડાના ઉત્પાદન અંગે નિયમ વધુ સારા બનાવવાની જરૂર છે. એલ્યુમિનિયમ-બેરિયમ જેવી સામગ્રીનો ઉપયોગ રોકવો પડશે. ફટાકડા ઉત્પાદક અને વેચાણકર્તાઓએ પણ કોર્ટને કહ્યુ કે કોઈ ઠોસ વૈજ્ઞાનિક રિસર્ચ વિના ગયા વર્ષે દિલ્લીમાં ફટાકડાનું વેચાણ રોકી દેવામાં આવી હતી જેના કારણે લાખો લોકોનો રોજગાર પ્રભાવિત થયો હતો.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
