'પીએમની સુરક્ષામાં ચુક' મામલે સુપ્રીમ કોર્ટે બનાવી કમિટી, SCના રિટાયર્ડ જજ કરશે તપાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબની મુલાકાત દરમિયાન સુરક્ષામાં ગેરરીતિના મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટે સોમવારે એક સમિતિની રચના કરી હતી. આ સમિતિનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ કરશે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબની મુલાકાત દરમિયાન સુરક્ષામાં ગેરરીતિના મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટે સોમવારે એક સમિતિની રચના કરી હતી. આ સમિતિનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ કરશે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે આ સમિતિમાં ડીજીપી ચંદીગઢ, એનઆઈએના આઈજી, હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને એડિશનલ ડીજી પંજાબનો સમાવેશ થશે, જેઓ આ મામલાની તપાસ કરશે અને પોતાનો રિપોર્ટ આપશે. આ સાથે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને પંજાબ સરકારને આ મામલે તેમની સંબંધિત તપાસ તાત્કાલિક રોકવાનો આદેશ આપ્યો છે.

સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા રહ્યા હાજર
સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કેન્દ્ર દ્વારા નિયુક્ત કમિટીની કાર્યવાહી અટકાવવામાં આવે તે પહેલા આ સમિતિએ પંજાબના ડીજી અને મુખ્ય સચિવને કારણ બતાવો નોટિસ પાઠવી હતી, પરંતુ કમિટી વતી હજુ સુધી કોઈ સુનાવણી હાથ ધરવામાં આવી નથી. આના પર સુપ્રીમ કોર્ટે કહ્યું, 'પંજાબ સત્તાવાળાઓને કારણ બતાવો નોટિસ જારી કરવી એ પોતાનામાં વિરોધાભાસ છે. આ મામલે એક કમિટી બનાવીને કેન્દ્ર સરકાર એ તપાસ કરવા માંગે છે કે શું SPG એક્ટનું ઉલ્લંઘન થયું છે અને સાથે જ સરકાર પંજાબના મુખ્ય સચિવ અને DG પર પણ આરોપ લગાવી રહી છે.

'તમે તમારું મન બનાવી લીધું છે, તો તમે કોર્ટમાં કેમ આવ્યા છો'?
સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, 'તમે કોર્ટને અહેસાસ કરાવો છો કે તમે પહેલેથી જ તમારું મન બનાવી લીધું છે કે પંજાબ સરકારના અધિકારીઓ દોષિત છે, તો પછી તમે કોર્ટમાં કેમ આવ્યા છો.' તે જ સમયે, સુનાવણી દરમિયાન પંજાબ સરકારના એડવોકેટ જનરલ, વરિષ્ઠ એડવોકેટ ડીએસ પટવાલિયાએ કહ્યું કે અમને કેન્દ્ર સરકારની સમિતિ પાસેથી નિષ્પક્ષ તપાસની કોઈ આશા નથી, કારણ કે સમિતિએ પહેલા જ સ્વીકાર્યું છે કે રાજ્ય સરકારના અધિકારીઓ દોષિત છે.

'રોડ જામ અંગે અગાઉથી કોઈ સૂચના આપવામાં આવી ન હતી'
સુપ્રીમ કોર્ટના આ અવલોકન પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે કારણ બતાવો નોટિસ જારી કરવા માટેનું કારણ એ છે કે ડીજી અને ઇન્ટેલિજન્સ અધિકારીઓ નિયમો અનુસાર આ મામલે જવાબદાર છે અને આ અંગે કોઈ વિવાદ નથી. આ અધિકારીઓ દ્વારા માર્ગ અવરોધ અંગે અગાઉથી કોઈ માહિતી આપવામાં આવી ન હતી.












Click it and Unblock the Notifications
