CJI વિરુદ્ધ પત્રકાર પરિષદ કરનાર 4 જજો કામ પર પરત ફરશે
ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટના ચાર જજોની નાટકીય પત્રકાર પરિષદ બાદ સોમવારે ન્યાયાલય ફરીથી ખુલશે. પ્રશ્ન કરનાર ચાર વરિષ્ઠ જજો પણ ન્યાયાલયની કાર્યવાહીમાં હંમેશની માફક ભાગ લેશે.
ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટના ચાર જજોની નાટકીય પત્રકાર પરિષદ બાદ સોમવારે ન્યાયાલય ફરીથી ખુલશે. ભારતના મુખ્ય ન્યાયાધીશની કાર્યશૈલી પર પ્રશ્ન કરનાર ચાર વરિષ્ઠ જજો પણ ન્યાયાલયની કાર્યવાહીમાં હંમેશની માફક ભાગ લેશે. ગત શુક્રવારે થયેલ પત્રકાર પરિષદ બાદ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ હજુ સુધી આ ચાર જજ સાથે વાત નથી કરી. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલો અનુસાર, મુખ્ય ન્યાયાધીશ આ ચાર ન્યાયાધીશો - જસ્તી ચેલમેશ્વર, રંજન ગોગોઈ, મદન લોકૂર અને કુરિયન જોસેફ સાથે વાતચીત કરી શકે છે. જો કે, ન્યાયાધીશના નજીકના સૂત્રો અનુસાર, હજુ સુધી મુખ્ય ન્યાયાધીશ તરફથી આ પ્રકારની કોઇ પહેલ કરવામાં નથી આવી.

ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે રોસ્ચરની ચિંતા કર્યા વિના ચારેય વરિષ્ઠ જજો સર્વોચ્ચ ન્યાયાલય જશે અને સુનવણી માટે જેકામ સોંપવામાં આવશે એની સુનવણી કરશે. ચારેય જજો દ્વારા જે મુદ્દાઓ ઉંચકવામાં આવ્યા હતા, તેમાંથી એક મુખ્ય મુદ્દો પસંદગીયુક્ત કેસોની ફાળવણીનો પણ હતો. સોમવારના રોજ સુપ્રીમ કોર્ટમાં જે મામલાઓની સુનવણી થનાર છે, એમાંથી એક મામલો સીબીઆઈના સ્પેશ્યિલ જજ જસ્ટિસ બ્રજમોહન લોયાનું અટાનક થયેલ મૃત્યુ છે. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ લોયાનું મૃત્યુ થયું એ સમયે તેઓ સોહરાબુદ્દીન શેખ અથડામણ મામલે ભાજપના અધ્યક્ષ અમિત શાહની ભૂમિકાવાળા કેસની સુનવણી કરી રહ્યા હતા. આ મામલે દાખલ કરવામાં આવેલ અરજી પર સોમવારે જસ્ટિસ અર્જુન મિશ્રા સુનવણી કરશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
