For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા કેસમાં નિયમિત સુનાવણીની માંગની અરજી પર 4 જાન્યુઆરીએ સુનાવણી

અયોધ્યા કેસઃ 4 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અયોધ્યા રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલે નિયમિત સુનાવણીની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ 4 જાન્યુઆરીએ સુનાવણી કરશે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે અયોધ્યાના કેસમાં વિલંબ કરવામાં ન આવે અને આ મામલે નિયમિત સુનાવણી કરી એક નિશ્ચિત સમયમાં ફેસલો સંભળાવવામાં આવે. અદાલત આ અરજી પર ચાર જાન્યુઆરીએ સુનાવણી કરશે. અગાઉ સોમવારે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે સરકાર પણ આ મામલે નિયમિત સુનાવણીના પક્ષમાં છે અને તેઓ ઈચ્છે છે કે આ મામલો જલદી ખતમ થઈ જાય.

મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ

મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ

અયોધ્યા મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ મામલાની પાછલી સુનાવણી ઓક્ટોબરમાં થઈ હતી. ત્યારે અદાલતે જાન્યુઆરી સુધી સુનાવણી ટાળી દીધી હતી. અદાલતે કહ્યું હતું કે હવે આ મામલાની સુનાવણી જાન્યુઆરીમાં થશે પરંતુ તારીખ જણાવવામાં આવી નહોતી.

4 જાન્યુઆરીએ સુનાવણી

4 જાન્યુઆરીએ સુનાવણી

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી પીઠે ઓક્ટોબરમાં આ મામલા પર તુરંત સુનાવણીની પક્ષકારોની માંગણીને ફગાવતાં કહ્યું હતું કે જાન્યુઆરીમાં ઉપયુક્ત પીઠ આ મામલાની સુનાવણી કરશે. સુનાવણીને જાન્યુઆરી સુધી ટાળી દેનાર બેંચમાં જસ્ટિસ એસ કે કૌલ અને ન્યાયમૂર્તિ કે એમ જોસેફ પણ સામેલ છે.

જમીનના ત્રણ વિવાદિત ભાગ

જમીનના ત્રણ વિવાદિત ભાગ

જણાવી દઈએ કે 2010માં ઈલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચના વિવાદિત જમીનને ત્રણ ભાગમાં વહેંચવાના ફેસલા વિરુદ્ધ ત્રણેય પક્ષ સુપ્રીમ કોર્ટમાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2010થી આ મામલો ચાલી રહ્યો છે. આ મામલો મંદિર-મસ્જિદ સાથે જોડાયેલો હોવાથી દેશના લોકોની નજર આ કેસ પર ટકી છે. હાલના જ દિવસોમાં કેટલાય ભાજપી નેતા, આરએસએસ અને હિન્દુવાદી સંગઠનો અદાલતની બહાર કોઈ યુક્તિ અપનાવી મંદિર બનાવવાની માગણી કરતા રહ્યા છે. આરએસએસ અને ભાજપના નેતા સંસદમાં કાયદો લાવી મંદિર બનાવવાની માગણી કરી રહ્યા છે. જેને પગલે મામલો ચર્ચામાં છે.

રાહુલ-પ્રિયંકાના સંબંધો પર ભાજપ નેતાએ FB પર કરી ગંદી ટિપ્પણી, કેસ ફાઈલરાહુલ-પ્રિયંકાના સંબંધો પર ભાજપ નેતાએ FB પર કરી ગંદી ટિપ્પણી, કેસ ફાઈલ

English summary
Supreme Court hear PIL on January 4 questioning delay in adjudication of Ayodhya matter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X