સમલેંગિક વિવાહને માન્યતા આપવા માટેની અરજી પર આજે સુપ્રિમમાં સુનવણી
સુપ્રિમ કોર્ટમાં પાચ જજોની બેચ આજે સમલેગિક વિવાહની માગને લઇને કરવામાં આવેલ અરજી પર સુનવણી કરશે. સમલેગિક વિવાહને કાયદાકીય માન્યતા આપવાને લઇને કરવામાં આવેલ અરજી પર આજે સુપ્રિમ કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવશે.

જણાવી દઇએ કે, આને લઇને 15 અરજી સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. ત્યાર બાદ આ મામલાને સુપ્રિમ કોર્ટમાં મોટી બેચ પાસે મોકલવામાં આવ્યો હતો. આ બેચની અધ્યક્ષતા મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ ડીવાઇ ચંદ્રચુડ કરશે. આ મામલાને તેમણે ઘણો સંવેદનશીલ ગણાવ્યો હતો.
સુપ્રિમ કોર્ટની બેચમાં ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડ સિવાય, જસ્ટીસ એસકે કૌલ, એસ સ્વીંદ્ર ભટ્ટ, પીએસ નરસિમ્હા, હિમા કોહલીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય વાત એ છે કે, 2018 માં સુપ્રિમ કોર્ટે અનુચ્છેદ 377 ને અપરાધની સૂચીમાથી હટાવી દિધુ હતુ.
દિલ્હી કમીશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સે આ અરજીનું સમર્થન કર્યુ હતુ. તેમના તરફથી કહેવામાં આવ્યુ હતુ કે, સમલેગિક પરિવાર સામાન્ય વાત છે. સરકારને તેને માન્યતા આપવા માટે પગલા લેવા જોઇએ.












Click it and Unblock the Notifications
