સુપ્રીમ કોર્ટના જજની મોદીને સલાહ, તમામ ધર્મોના પર્વોનો રાખે ખયાલ
નવી દિલ્હી, 4 એપ્રિલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સુપ્રીમ કોર્ટના જજ કુરિયન જોસેફે ગુડ ફ્રાઇડેના દિવસે કોન્ફ્રેન્સ બોલાવવા પર વાંધો ઉઠાવ્યો છે. કુરિયને મોદીના નિમંત્રણનો વિરોધ કરતા જણાવ્યું કે વડાપ્રધાને આવા કાર્યના આયોજન અને નિમંત્રણ પહેલા તમામ ધર્મોના તહેવારોનો ખ્યાલ રાખવો જોઇએ.

જસ્ટિસ કુરિયન જોસફે ચીફ જસ્ટિસ એચએલ દત્તૂને એક પત્ર લખીને આ કોન્ફ્રેન્સની ટાઇમિંગ પર સવાલ ઊભો કર્યો છે. તેમણે લખ્યું છે કે તેઓ એ સમયે ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે કેરળમાં હશે, એટલું જ નહીં જોસેફે ત્યાં સુધી જણાવી દીધું છે કે આવા કાર્યક્રમ પવિત્ર ધાર્મિક તહેવારો હોળી, દીવાળી, દશેરા અને ઇદ પર નથી થતા. નોંધનીય છે કે ત્રણ એપ્રિલના રોજ ગુડ ફ્રાઇડે હતો, અને પાંચ એપ્રિલના રોજ ઇસ્ટર છે.

જોસફે આ પત્ર 18 માર્ચના રોજ મોકલ્યો હતો, ત્યારબાદ ચીફ જસ્ટિસે સખત જવાબ આપ્યો. એચએલ દત્તૂએ જવાબ આપ્યો. એચએલ દત્તૂએ જવાબ આપ્યો વ્યક્તિગત હિતોની ઉપર સંસ્થાગત હિતોને પ્રાથમિકતા મળવી જોઇએ. તેમણે પારિવારિક અને સંસ્થાગત પ્રતિબદ્ધતાઓમાં તાલમેલ બેસાડવા પર પણ ભાર મૂક્યો.
જસ્ટીસ જોસફે તર્ક આપ્યું હતું કે પવિત્ર અને રાષ્ટ્રીય રજાના અવસર પર કોન્ફ્રેન્સ રાખીને ન્યાયપાલિકા અન્ય સંવૈધાનિક સંસ્થાઓ અને પબ્લિક બોડીઝની વચ્ચે ખોટો સંદેશ મોકલી રહી છે. જોસેફે પોતાના પત્રમાં લખ્યું છે કે 'આવી જરૂરી કોન્ફ્રેન્સ આવા દિવસે ન્હોતી રાખવી જોઇતી, જ્યારે અમારામાંથી કેટલાંક લોકોને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાનો હતો. આ દરમિયાન અમારે પરિવાર સાથે પણ સમય વિતાવવાનો છે.'

જોકે હોળી, દિવાળી અને ઇત પર આવી કોન્ફ્રન્સ નહીં યોજાવાના પોતાના તર્ક પર તેમણે સફાઇ આપતા જણાવ્યું કે તેમનો અર્થ સાંપ્રદાયિક વાત કરવાનો બિલકૂલ નથી. જોસફે લખ્યું છે કે હું માનું છું કે અમારી સંસ્થા પર ધર્મ નિરપેક્ષ થઇને તમામના હિતોની રક્ષા કરવાની જવાબદારી છે, જે ધીરે ધીરે પોતાના રસ્તાથી ભટકી રહી છે.
ચીફ જસ્ટિસે જોસફના આ પત્ર પર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે 20 માર્ચના રોજ આપવામાં આવેલ જવાબમાં કહેવાયું છે કે બે વર્ષ બાદ આયોજિત થઇ રહેલી આ કોન્ફ્રેન્સ પર સવાલ ઉઠાવવા પર તેઓ સ્તબ્ધ છે. તેમણે પોતાના જવાબમાં લખ્યું કે હું જસ્ટિસ જોસેફની ચિંતાનું સન્માન કરુ છું, પરંતુ વ્યક્તિગત રીતે મારા માટે કોન્ફ્રેન્સ કોઇ પણ અન્ય બાબતથી વધારે જરૂરી છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
