For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી શરૂ થશે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં નિયમિત સુનાવણી

અયોધ્યા વિવાદ પર આજથી સુપ્રીમ કોર્ટની અંદર નિયમિત સુનાવણી શરૂ થશે.

|
Google Oneindia Gujarati News

અયોધ્યા વિવાદ પર આજથી સુપ્રીમ કોર્ટની અંદર નિયમિત સુનાવણી શરૂ થશે. સુપ્રીમ કોર્ટ વર્ષ 2010 માં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિને ત્રણ ભાગમાં વહેંચવાના ચુકાદાના વિરોધમાં દાખલ કરેલ યાચિકાઓ પર આજથી સુનાવણી કરશે. આ તમામ યાચિકાઓ પર સુનાવણી મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈ અને જસ્ટીસ સંજય કિશન કૌલ તેમજ જસ્ટીસ સકેએમ જોસેફની પીઠ કરશે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે આ પહેલા જ અયોધ્યા વિવાદ મામલાની સુનાવણી નક્કી સમયમર્યાદામાં ખતમ કરવાની વાત કરી હતી.

આ પણ વાંચોઃ સતત 12મા દિવસે સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, જાણો આજની કિંમતઆ પણ વાંચોઃ સતત 12મા દિવસે સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, જાણો આજની કિંમત

મસ્જિદ ઈસ્લામનું અનિવાર્ય અંગ નથી

મસ્જિદ ઈસ્લામનું અનિવાર્ય અંગ નથી

આ પહેલા 27 સપ્ટેમ્બર 1994 ના રોજ સુપ્રીમ કોર્ટ પોતાના એ ચુકાદા પર ફરીથી સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. જેમાં કોર્ટે એ કહ્યુ હતુ કે મસ્જિદ ઈસ્લામનું અનિવાર્ય અંગ નથી. આ પહેલા સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચે કહ્યુ હતુ કે આ મામલાનો નિર્ણય દીવાની વાદ રૂપે થશે. આનો ચુકાદો પુરાવાઓના આધારે થશે.

ધાર્મિક આસ્થા સ્વરૂપે જોવાનું રહેશે

ધાર્મિક આસ્થા સ્વરૂપે જોવાનું રહેશે

આ બેંચની અધ્યક્ષતા પૂર્વ સીજેઆઈ જસ્ટીસ દીપક મિશ્રાએ કરી હતી. આ બેંચમાં જસ્ટીસ અશોક ભૂષણ પણ શામેલ હતા. આ બેંચે કહ્યુ હતુ કે એ જોવાનું રહેશે કે 1994 માં પાંચ સભ્યોની ખંડપીઠે પોતાનો ચુકાદો કયા સંદર્ભમાં સંભળાવ્યો હતો. વળી, આ બેંચના ત્રીજા જજ જસ્ટીસ એક અબ્દુલ નઝીરે બંને જજો સાથે અસંમતિ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે આ મામલાને ધાર્મિક આસ્થા સ્વરૂપે જોવો પડશે અને તેને ધ્યાનમાં રાખીને ચુકાદો આપવો પડશે.

જમીન સમાન રૂપે વહેંચવી

જમીન સમાન રૂપે વહેંચવી

તેમણે કહ્યુ હતુ કે આપણે વિસ્તારથી વિચાર કરવાની જરૂર છે કે શું મસ્જિદ ઈસ્લામનું અંગ છે. તમને જણાવી દઈએ કે 30 સપ્ટેમ્બર 2010 ના રોજ અલાહાબાદ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ હતુ કે 2.77 એકર જમીનને ત્રણ પક્ષો સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડો અને રામલલ્લા વચ્ચે સમાન રૂપે વહેંચી દેવી જોઈએ.

આ પણ વાંચોઃ રામ મંદિર વિવાદ પર સીએમ યોગીના નિવેદન પર કોંગ્રેસનો પ્રહારઆ પણ વાંચોઃ રામ મંદિર વિવાદ પર સીએમ યોગીના નિવેદન પર કોંગ્રેસનો પ્રહાર

English summary
Supreme court to start the hearing of Ayodhya Babri dispute from today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X