આજથી શરૂ થશે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં નિયમિત સુનાવણી
અયોધ્યા વિવાદ પર આજથી સુપ્રીમ કોર્ટની અંદર નિયમિત સુનાવણી શરૂ થશે.
અયોધ્યા વિવાદ પર આજથી સુપ્રીમ કોર્ટની અંદર નિયમિત સુનાવણી શરૂ થશે. સુપ્રીમ કોર્ટ વર્ષ 2010 માં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિને ત્રણ ભાગમાં વહેંચવાના ચુકાદાના વિરોધમાં દાખલ કરેલ યાચિકાઓ પર આજથી સુનાવણી કરશે. આ તમામ યાચિકાઓ પર સુનાવણી મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈ અને જસ્ટીસ સંજય કિશન કૌલ તેમજ જસ્ટીસ સકેએમ જોસેફની પીઠ કરશે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે આ પહેલા જ અયોધ્યા વિવાદ મામલાની સુનાવણી નક્કી સમયમર્યાદામાં ખતમ કરવાની વાત કરી હતી.

મસ્જિદ ઈસ્લામનું અનિવાર્ય અંગ નથી
આ પહેલા 27 સપ્ટેમ્બર 1994 ના રોજ સુપ્રીમ કોર્ટ પોતાના એ ચુકાદા પર ફરીથી સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. જેમાં કોર્ટે એ કહ્યુ હતુ કે મસ્જિદ ઈસ્લામનું અનિવાર્ય અંગ નથી. આ પહેલા સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચે કહ્યુ હતુ કે આ મામલાનો નિર્ણય દીવાની વાદ રૂપે થશે. આનો ચુકાદો પુરાવાઓના આધારે થશે.

ધાર્મિક આસ્થા સ્વરૂપે જોવાનું રહેશે
આ બેંચની અધ્યક્ષતા પૂર્વ સીજેઆઈ જસ્ટીસ દીપક મિશ્રાએ કરી હતી. આ બેંચમાં જસ્ટીસ અશોક ભૂષણ પણ શામેલ હતા. આ બેંચે કહ્યુ હતુ કે એ જોવાનું રહેશે કે 1994 માં પાંચ સભ્યોની ખંડપીઠે પોતાનો ચુકાદો કયા સંદર્ભમાં સંભળાવ્યો હતો. વળી, આ બેંચના ત્રીજા જજ જસ્ટીસ એક અબ્દુલ નઝીરે બંને જજો સાથે અસંમતિ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે આ મામલાને ધાર્મિક આસ્થા સ્વરૂપે જોવો પડશે અને તેને ધ્યાનમાં રાખીને ચુકાદો આપવો પડશે.

જમીન સમાન રૂપે વહેંચવી
તેમણે કહ્યુ હતુ કે આપણે વિસ્તારથી વિચાર કરવાની જરૂર છે કે શું મસ્જિદ ઈસ્લામનું અંગ છે. તમને જણાવી દઈએ કે 30 સપ્ટેમ્બર 2010 ના રોજ અલાહાબાદ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ હતુ કે 2.77 એકર જમીનને ત્રણ પક્ષો સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડો અને રામલલ્લા વચ્ચે સમાન રૂપે વહેંચી દેવી જોઈએ.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
