કાયદામાં કિશોરની પરિભાષા પર વિચાર કરાશે SC

જનહિત યાચિકા, જેમાં કહેવામાં આવ્યું છે કે, 18 વર્ષથી ઓછી ઉમરના તમામ આરોપીઓને સગીર તરીકે લેવા યોગ્ય નથી, કારણ કે તે ગુન્હાનીં ગંભીરતાને નથી દર્શાવતી. સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો છે. આ યાચિકા વકીલ કમલ કુમાર પાંડે અને સુકુમારએ દાખલ કરી છે.
યાચિકાકર્તા કમલ કુમાર પાંડેએ જણાવ્યું છે કે તેણે પોતાની યાચિકામાં જૂવેનાઇલ(કિશોર)ની પરિભાષાને ફરીથી પરિભાષિત કરવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે તેના તર્કો સાથે સહમત થતા યાચિકાનો સ્વિકાર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે જસ્ટિસ દીપક મિશ્રાએ આ સરકાર પાસે જવાબ માંગ્યો છે.
નોંધનીય છે કે દિલ્હી ગેંગરેપ કેસમાં સૌથી ગંભીર આરોપીને સગીર ગણાવી દેવામાં આવવાથી લોકોમાં ભારે ગુસ્સો છે. લોકો ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જુવેનાઇલ એક્ટમાં ફેરબદલની માંગ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
