સુપ્રિમ કોર્ટે કઠુઆ ગેંગરેપ કેસને પઠાણકોટ કર્યો ટ્રાન્સફર, સીબીઆઈ તપાસની માંગ ફગાવી
કઠુઆ ગેંગરેપ પીડિતાના પરિવારજનોની યાચિકા બાદ સુપ્રિમ કોર્ટે આજે આ કેસને કઠુઆથી પઠાણકોટ ટ્રાન્સફર કરી દીધો છે.
કઠુઆ ગેંગરેપ પીડિતાના પરિવારજનોની યાચિકા બાદ સુપ્રિમ કોર્ટે આજે આ કેસને કઠુઆથી પઠાણકોટ ટ્રાન્સફર કરી દીધો છે. તમને જણાવી દઈએ કે મૃતકના પરિવારે આ કેસને કઠુઆથી ચંદીગઢમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. પરિવારજનોએ જીવનું જોખમ હોવાની પણ શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ આ કેસને કઠુઆથી ટ્રાન્સફ રકરવાની સુપ્રિમ કોર્ટમાં અરજી નોંધવામાં આવી હતી.

કોર્ટે આ અરજી પર સુનાવણી કરતા સોમવારે આદેશ આપ્યો કે આ કેસને સુનાવણી માટે પઠાણકોટ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. આ કેસની રોજેરોજ સુનાવણી કરવામાં આવશે. બધી કામગીરી કેમેરામાં રેકોર્ડ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે કેસની સુનાવણીની આગામી તારીખ 9 જૂલાઈ નક્કી કરવામાં આવી છે. વળી, સુપ્રિમ કોર્ટે જમ્મૂ-કાશ્મીર સરકારને પઠાણકોર્ટમાં સરકારી વકીલ નિયુક્ત કરવાની અનુમતિ આપી દીધી છે. આ ઉપરાંત, સુપ્રિમ કોર્ટે જમ્મૂ-કાશ્મીર સરકારને પીડિતાના પરિવાર, તેમના વકીલ અને સાક્ષીઓને સુરક્ષા પૂરી પાડવાનું પણ કહ્યુ. આટલુ જ નહિ, સુપ્રિમ કોર્ટે આ કેસની ફરીથી સીબીઆઈ તપાસ કરાવવાની માંગની અરજી ફગાવી દીધી છે.
વળી, આજે સુપ્રિમ કોર્ટમાં જમ્મૂ કાશ્મીર સરકાર તરફથી રાજ્યમાં જ આ કેસની ઈમાનદારીથી ટ્રાયલ કરાવવાની વાત કહેવામાં આવી છે. આ કેસને જમ્મૂ-કાશ્મીરમાંથી ટ્રાન્સફર કરવાનો રાજ્ય સરકારે વિરોધ કર્યો છે. જમ્મૂ કાશ્મીર સરકારે સુપ્રિમ કોર્ટમાં કહ્યુ કે તે રાજ્યમાં નિષ્પક્ષ સુનાવણી માટે તૈયાર છે પરંતુ તે આ કેસને બીજા રાજ્યમાં મોકલવાનો વિરોધ કરે છે. પીડિતાના પિતાનો પક્ષ રાખી રહેલા વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે સુપ્રિમ કોર્ટને કહ્યું હતુ કે રાજ્યનું વાતાવરણ એવુ નથી કે આ કેસની વ્યવસ્થિત ટ્રાયલ અહીં થઈ શકે. ત્યાંનું વાતાવરણ ધ્રુવીકરણ કરે તેવુ છે. આના પર કોર્ટે સરકારને નોટિસ જારી કરીને જવાબ આપવાનું કહ્યુ હતું.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
