For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'નીતિશને મોદીથી આટલી બધી નફરત કેમ છે?'

|
Google Oneindia Gujarati News

modi
નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર: જનતા દળ યૂનાઇટેડે સોમવારે ભાજપા નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે થયેલી નીતિશ કુમારની મુલાકાતનો બચાવ 'સંસ્કાર' ગણાવીને કર્યો, પરંતુ બિહાર ભાજપાને તેમની પર હુમલો કરવાની તક મળી ગઇ.

બિહારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ મંગળવારે સવાલ કર્યો કે જો નીતિશ સંસ્કારના કારણે અડવાણીને મળ્યા હતા, તો ભાજપા તરફથી પીએમ પદના દાવેદાર નરેન્દ્ર મોદી સાથે તેઓ આવું શા માટે નથી કરતા.

સુશીલ કુમાર મોદીને ટ્વિટર પર જણાવ્યું કે 'નીતિશ કુમાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાજ શરીફ સાથે હાથ મીલાવી શકે છે, પરંતુ નરેન્દ્ર મોદીની સાથે તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી શકતા નથી.'

તેમણે સવાલ કર્યો કે, 'શું ભારતીય રાજનીતિ માટે આ પ્રકારની આભડછેટ યોગ્ય છે? આ કયા પ્રકારની સમગ્ર રાજનીતિ છે? કેવી માનસિકતા છે?'

બિહાર ભાજપાના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે નીતિશ કુમાર એ સમયે ખૂબ જ નારાજ હતા, જ્યારે સમાચારોમાં એવી તસવીરો છપાઇ હતી, જેમા મોદી અને નીતિશ એકબીજાના હાથમાં હાથ નાખીને ઉભા હતા. એ સમયે નીતિશ નારાજ શા માટે હતા?

દિલ્હીમાં યોજાયેલી રાષ્ટ્રીય એકતા પરિષદની બેઠકમાં નીતિશ કુમારની સામે જ્યારે અડવાણી આવ્યા, તો તેમણે ખૂબ જ ઉષ્માભરી મુલાકાત કરી. જોકે સુશીલ કુમાર મોદીએ અડવાણી અને નીતિશની આ મુલાકાતને વધારે મહત્વ ના આપતા તેને રાજકીય શિષ્ટાચાર ગણાવ્યો હતો. કુમારની પાર્ટીએ એવું કહેતા નીતિશનો બચાવ કર્યો હતો કે આ મુલાકાતની પાછળ નીતિશના સંસ્કાર છે અને તેનો કોઇ રાજનૈતિક અર્થ કાઢવો જોઇએ નહીં.

English summary
Sushil kumar Modi slam to Nitish Kumar over LK Advani visit in NIC meet in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X