શિંદેની 'રાહુલ વંદના', કહ્યું 'યુવરાજ' બને વડાપ્રધાન
નવી દિલ્હી, 11 ઓક્ટોબર : ભારતીય જનતા પાર્ટી - ભાજપે લોકસભા ચૂંટણી 2014 માટે પોતાના પીએમ પદના ઉમેદવારની ઘોષણા કરી દીધી છે. આ સામે પરંપરા મુજબ કોંગ્રેસે હજી સુધી તેના પત્તા ખોલ્યા નથી. જો કે કોંગ્રેસની ગતિવિધિ કંઇક ઓર જ સંકેત આપી રહી છે. એક તરફ કોંગ્રેસમા ઉપાધ્યક્ષ યુવરાજ રાહુલ ગાંધી વડાપ્રધાન મનમોહન સિંહને પોતાના ગુરુ બનાવીને વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ મનમોહન સિંહ યુવરાજને હવે રાજા બનાવવાનું સૂચન કરી રહ્યા છે.
આ સ્થિતિને કારણે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવે તો વડાપ્રધાનનો તાજ કોના શિરે સજાવવામાં આવશે તે સ્થિતિ હજી અસ્પષ્ટ છે પરંતુ કોંગ્રેસના નેતાઓ ઇચ્છી રહ્યા છે કે આ વખતે યુવરાજનો રાજ્યાભિષેક થાય અને રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવામાં આવે.

આ મુદ્દે મનમોહન સિંહ અગાઉ અનેકવાર પોતાની ઇચ્છા જાહેર કરી ચૂક્યા છે. હવે આ યાદીમાં દિગ્વિજય સિંહ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે પણ સાથ આપી રહ્યા છે. શિંદેની ઇચ્છા છે કે રાહુલ ગાંધી આ વખતે પાર્ટીની આગેવાની કરે અને વડાપ્રધાનની ખુરશી પર બિરાજે. તેઓ રાહુલ ગાંધીની યુવા સરકામાં ખુશીથી કામ કરવા માટે રાજી છે.
આ સંદર્ભમાં ગુરુવારે શિંદેએ પત્રકારો સમક્ષ પોતાની ઇચ્છા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે "મારી ઇચ્છા છે કે રાહુલ આ મહાન દેશના વડાપ્રધાન બને."
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
