બોધગયા બ્લાસ્ટની ગુપ્ત માહિતી હતી, ક્યાં ભૂલ થઇ તે અંગે તપાશ થશે: શિંદે

ગૃહમંત્રીએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આ બ્લાસ્ટને લઇને ગુપ્ત માહિતી મળી હતી. તેમાં ક્યાં ચૂક થઇ, તે અંગે તપાસ કરાવવામાં આવશે. શાંતિના પ્રતિક 'મહાબોધિ મંદિર' પર હુમલો ચિંતાનો વિષય છે અને અમે આ હુમલાની આકરી નિંદા કરીએ છીએ.
સુશીલ કુમાર શિંદેએ એનઆઇએને આ બ્લાસ્ટની તપાસ પૂરી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. એનઆઇએ તપાસમાં જોડાઇ ગઇ છે. તેમને કહ્યું હતું કે એમપણ કહેવામાં આવે છે કે સીઆઇએસએફની ગોઠવણ વિશે વિચાર કરી રહી છે.
બીજી તરફ બિહારના ગયા જિલ્લાના બોધગયા સ્થિત મોહાબોધિ મંદિર પરિસરમાં અને બહાર ગત સાત જુલાઇના રોજ થયેલા 10 શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ મુદ્દે મંગળવારે પટણાથી કસ્ટડીમાં લેવામાં આવેલા ત્રણ યુવકો અને એક યુવતિને પોલીસે પુરાવાના અભાવે છોડી મુક્યા છે. પટણાના વરિષ્ઠ પોલીસ અધિકારી મનુ મહારાજે જણાવ્યું હતું કે ધરપકડમાં લેવામાં આવેલા આ લોકોને બિહાર પોલીસ ઉપરાંત એનઆઇએ અને આઇબીની ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. આ મુદ્દે તેની સંડોવણીના પુરાવા નહી મળતાં તેમને છોડી મુકવામાં આવ્યા હતા.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
