સોનિયા બનશે વડાપ્રધાન તો 100 કરોડ લોકોનું અપમાન: સુષમા
નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર : બીજેપીની વરિષ્ટ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષની નેતા સુષમા સ્વરાજે 2004માં એક સોગંધ લીધા હતા. સુષમા સ્વરાજે પ્રતિજ્ઞા લીધી હતી કે જો કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી દેશના વડાપ્રધાન બનશે તો તેઓ મુંડન કરાવી દેશે. આજે ફરીથી સુષમા સ્વરાજને પોતાની આ પ્રતિજ્ઞા યાદ આવી ગઇ છે. જોકે એકવાર ફરી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દા રાખની નીચે સળગી રહ્યા છે. ભાજપા નેતા સુષમા સ્વરાજે આને એકવાર ફરી હવા આપીને સળગાવવાનો પ્રયત્ન કર્યો છે.
સુષમાએ પોતાના સોગંધ એકવાર ફરી યાદ કરીને જણાવ્યું છે કે તેઓ હજી પણ આ મુદ્દે સોનિયા ગાંધીના વડાપ્રધાન બનવાના વિરોધમાં છે. એક કાર્યક્રમ દરમિયાન સુષમાએ સોનિયાને વિદેશી મૂળના મુદ્દાને ફરીથી ઉઠાવતા જણાવ્યું કે સોનિયા ગાંધી અમારા દેશમાં ઇંદિરા ગાંધીની પુત્રવધૂ અને રાજીવ ગાંધીની પત્નીના રૂપમાં આવી હતી. માટે તે આપણા પ્રેમ અને સ્નેહની હકદાર છે. કોંગ્રેસ અધ્યક્ષના રૂપમાં તે આપણા સન્માનની હકદાર છે, પરંતુ જો સોનિયા ગાંધી પ્રધાનમંત્રી બનવા માંગે છે તો હું એ પક્ષમાં નથી.
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના વિદેશી વંશીય હુમલાને ઉઠાવતા સુષમાએ જણાવ્યું કે જો સોનિયા ગાંધી દેશના વડાપ્રધાન બને છે તો આનાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચશે. સુષમાએ જણાવ્યું કે સોનિયાને પીએમ નહીં બનવા દેવા મારા માટે એક મિશન સમાન હતું.