મોદીથી નારાજ થઇને મીટિંગ છોડીને ચાલ્યા ગયા હતા સુષમા!

sushma swaraj
નવી દિલ્હી, 24 મે : પ્રધાનમંત્રી પદની ઉમેદવારીને લઇને સુષમા સ્વરાજ અને મોદીની વચ્ચે સંબંધો બગડતા જઇ રહ્યા છે. જોકે પરિસ્થિતિ એટલે સુધી પહોંચી ગઇ છે કે સુષમા મંગળવારે સંસદીય બોર્ડની બેઠક અધૂરી મૂકીને જ ચાલ્યા ગયા હતા. ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલ સમાચારમાં આ અંગે ખૂલાસો કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુષમા એ વાતથી નારાજ હતી કે બેઠકમાં મોદી સતત પોતાની છાપ છોડવાની કોશિશ કરી રહ્યા હતા.

મોદીએ બેઠકમાં વરિષ્ઠ નેતાઓને સલાહ આપી કે તે યૂપીએની ખામીયોને સતત ગણાવે. આની પર સુષમાએ કહ્યું કે તે એજ કામ કરી રહી છે. તેમણે એ પણ કહ્યું કે બેઠક પહેલા તે અને અરૂણ જેટલીએ પોતાની પ્રેસ કોન્ફ્રેન્સમાં આ જ ખામીઓનો ઉલ્લેખ કર્યો હતો. સુષમાને મોદીની સોશિયલ મીડિયાના વધારે ઉપયોગની સલાહ પણ સારી લાગી નહી કારણ કે તે પહેલાથી જ ટ્વિટર પર છે.

ખરેખર, આ આખો મામલો પ્રધાનમંત્રી પદની ઉમેદવારીનો છે, સુષમા એ વાતથી ખચકાય છે કે મોદીના નામને લઇને પહેલા જ હવા બનાવવામાં આવી રહી છે. સુષમાને લાગે છે કે નેતા વિપક્ષ હોવાના નાતે પ્રધાનમંત્રી પદ પર પહેલી દાવેદારી તેમની બને છે અને જો તેમને છોડીને કોઇ નામ આવતું હોય તો તેમના પદની ગરિમાને ઓછી કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા સુષમાએ પોતાની પ્રેસ કોન્ફ્રેન્સમાં પણ એ સ્પષ્ટ કરી દીધું હતું કે હજી પાર્ટીમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. જોકે મોદી સાથે મતભેદની વાતોને સુષમાએ નકારી કાઢી હતી. સુષમાએ જણાવ્યું કે બુધવારે તેમનો રાષ્ટ્રપતિને મળવાનો કાર્યક્રમ હતો એટલે બેઠકમાંથી જલદી ગઇ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X