તમિલનાડુમાં 7 દિવસનુ પૂર્ણ લૉકડાઉન, જનતાને નહિ મળે કોઈ પ્રકારની છૂટ
તમિલનાડુ સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જે હેઠળ હવે રાજ્યોમાં એક સપ્તાહ સુધી ફૂલ લૉકડાઉન રહેશે.
ચેન્નઈઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમે ધીમે નબળી પડી રહી છે પરંતુ દક્ષિણ ભારતના અમુક રાજ્યોમાં સ્થિતિ હજુપણ ચિંતાજનક છે. જેના કારણે તમિલનાડુ સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જે હેઠળ હવે રાજ્યોમાં એક સપ્તાહ સુધી ફૂલ લૉકડાઉન રહેશે, જે 24 મેથી શરૂ થશે. સરકારે આશા વ્યક્ત કરી છે કે આનાથી કોરોના સંક્રમણની ચેન તોડવામાં મદદ મળશે.

રાજ્ય સરકારના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી એમકે સ્ટાલિને અધિકારીઓ સાથે કોરોના વાયરસની સમીક્ષા કરી હતી. ત્યારબાદ એક સપ્તાહનુ પૂર્ણ લૉકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો. આ લૉકડાઉન 24 તારીખથી શરૂ થશે જેમાં કોઈ પણ પ્રકારની છૂટ સામાન્ય જનતાને આપવામાં આવશે નહિ. જો કે સરકારે સ્પષ્ટ કર્યુ છે કે ઈમરજન્સી સેવા સાથે જોડાયેલ કર્મચારી કામ પર જઈ શકશે જેથી કોરોના દર્દીઓની મદદ કરી શકાય.
તમિલનાડુમાં કેટલા કેસ?
તમને જણાવી દઈએ કે તમિલનાડુ દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ચોથુ રાજ્ય છે જ્યાં અત્યાર સુધી 17,70,988 કેસ સામે આવી ચૂક્યા છે. આ સાથે જ રાજ્યમાં 19,598 લોકોના મોત થયા જ્યારે 14,76,761 દર્દી રિકવર થઈ ચૂક્યા છે. એવામાં ત્યાં સક્રિય કેસની સંખ્યા હવે 2,74,629 છે. વળી, બીજી તરફ રાજ્યમાં કોરોનાને રોકવા માટે ઝડપથી રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે જે હેઠળ અત્યાર સુધી 72 લાખ ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.
દેશની શું છે સ્થિતિ
કુલ કેસ - 2,63,01,789
મોત - 2,95,618
રિકવરી - 2,30,66,041
સક્રિય કેસ - 29,29,590
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
