તમિલનાડુમાં અનાથ આશ્રમમાં કિશોરી સાથે ગુજાર્યો બળાત્કાર, આરોપીની ધરપકડ
આ ઘટના બાદ અનાથ આશ્રમને સીલ કરી દેવામાં આવ્યું હતું અને અનાથ આશ્રમના બધા 60 બાળકોને નજીકના બાળઘરમાં સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે. અનાથ આશ્રમના માલિક પ્રભાકરણ, બે મહિલા વોર્ડન અને બાળકી સાથે બળાત્કાર ગુજારનાર મુત્થુરાજની ધરપકડ કરી લીધી છે.
પોલીસ દ્વારા મળેલી માહિતી મુજબ અનાથ આશ્રમમાં 60 બાળકો છે જેમાંથી મુત્થુરાજને છોડીને બાકીના બધાની ઉંમર 18 વર્ષની ઓછી હતી. પોલીસને આપેલા નિવેદનમાં પીડિતાએ કહ્યું હતું કે આરોપી તેને બાથરૂમમાં લઇ ગયો અને ત્યાં તેને બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે બાળકીએ આ અંગે ફરિયાદ વોર્ડનને કરી તો તેને મામલો દબાવી દિધો. ત્યારબાદ બાળકીને પેટમાં દુખાવાની ફરિયાદ બાળકીને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી હતી. જ્યાં ડૉક્ટરોએ તેની સાથે બળાત્કારની પુષ્ટિ કરી અને પોલીસને આ વાત અંગે સૂચના આપી અને આખો મામલો દબાવી દિધો.
પોલીસે તાત્કાલિક બાળકીને સરકારી હોસ્પિટલમાં ભરતી કરાવી જ્યાં તેની સાથે બળાત્કાર થયો હોવાની પુષ્ટિ થઇ હતી. અત્યાર સુધી આ મુદ્દે 4 લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે ફરિયાદ નોંધી અનાથ આશ્રમને સીલ કરી દિધું છે.