તામિલનાડુના કોપર પ્લાન્ટ વિરુદ્ધ પ્રદર્શન, 11 ની મૌત
તામિલનાડુના તુતીકોરીનમાં એક સ્ટર્લાઇટ કોપર કારખાનું બંધ કરાવવાને લઈને વિરોધ પ્રદર્શન હિંસક બનું ગયું છે જેમાં 11 લોકોના જીવ પણ ચાલ્યા ગયા છે.
તામિલનાડુના તુતીકોરીનમાં એક સ્ટર્લાઇટ કોપર કારખાનું બંધ કરાવવાને લઈને વિરોધ પ્રદર્શન હિંસક બનું ગયું છે જેમાં 11 લોકોના જીવ પણ ચાલ્યા ગયા છે. જયારે સેંકડો લોકો તેમાં ઘાયલ થયા છે. તામિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામી ઘ્વારા મૃતક પરિવારને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાય અને પરિવારના એક વ્યક્તિને નોકરી આપવામાં માટે એલાન કર્યું છે. જયારે ઘાયલ થયેલા લોકોને ત્રણ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે

આ મામલાની જાંચ કરવા માટે ઈન્કવાયરી કમિશન બનાવવા માટે પણ ઘોષણા કરવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે મંગળવારે પ્રદર્શનના 100માં દિવસે તે સમયે હાલત બેકાબુ બની જયારે ભીડ ઘ્વારા કલેક્ટર કાર્યાલય ની ઘેરાબંધી કરીને કોપર યુનિટ બંધ કરવાની માંગ કરી હતી. ત્યારપછી પોલીસે ભીડ પર ફાયરિંગ શરૂ કરી દીધી.
તુતીકોરીનમાં ઘણા વિસ્તારોમાં ભારે સંખ્યામાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે. શહેરમાં ઘણી જગ્યા પર આગચંપી ની ખબરો આવી છે. એટલું જ નહીં પરંતુ હિંસાગ્રસ્ત વિસ્તારમાં ભારે સંખ્યામાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે.
#Thoothukudi :Marumalarchi Dravida Munnetra Kazhagam(MDMK) Chief Vaiko met those injured during protests against #Sterlite industries. 11 people were killed yesterday in police firing pic.twitter.com/17TLi4lhNL
— ANI (@ANI) May 23, 2018
થુટૂકુડી માં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે થયેલી ઝડપમાં 11 લોકોની મૌત થઇ ચુકી છે. એમજીએમકે ચીફ વાઇકો ઘ્વારા પ્રદર્શનમાં ઘાયલ થયેલા લોકોની હોસ્પિટલ જઈને મુલાકાત કરી.












Click it and Unblock the Notifications
