તહેલકા કેસ: 3 કલાક સુધી પોલીસે શોમા સાથે કરી પૂછપરછ
નવી દિલ્હી, 24 નવેમ્બર: રેપ કેસના આરોપી તહેલકા મેગેઝીનના પૂર્વ ચીફ એડિટર તરૂણ તેજપાલ વિરૂદ્ધ કાર્યવાહી કરવાને ધ્યાન રાખતાં ગોવા પોલીસે શનિવારે બપોરે જ દિલ્હી પહોંચી અને તેને સાંજે તહેલકાના ઓફિસમાં જઇને મેનેજીંગ તંત્રી શોમા ચૌધરી સાથે લગભગ ત્રણ કલાક સુધી પુછપરછ કરી અને તેમનું વિડિયો સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું. પોલીસે શોમા ચૌધરીનું લેપટોપ પણ જપ્ત કરી લીધું.
અત્રે ઉલ્લેખનીય છે કે શોમા સમક્ષ પીડિતાએ ઇમેલના માધ્યમથી પોતાની આપવીતીની ફરિયાદ કરી હતી. ત્રણ કલાકની લાંબી પૂછપરછ બાદ તહેલકા દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું કે અમે કેસ સંબંધિત બધા દસ્તાવેજો પોલીસને સોંપી દિધા છે અને અમે સતત પોલીસના સંપર્કમાં છીએ. પોલીસની ટીમે તહેલકાની ઓફિસની તલાશી પણ લીધી હતી.

પૂછપરછ પહેલાં પણ તહેલકાના મેનેજીંગ તંત્રી શોમા ચૌધરીએ મીડિયાને કહ્યું હતું કે તેમને ગોવા પોલીસને કેસ સંબંધિત જે જાણકારી તેમની પાસે હતી તે બધી પુરી પાડી દિધી છે એટલા માટે એવું કહેવું ખોટું હશે કે મેં તપાસમાં મદદ નથી કરી, મેં પોલીસને પુરાવા આપ્યા છે અને તહેલકા પત્રિકાના પૂર્વ ચીફ એડિટર તરૂણ તેજપાલ સાથે વાત કરી હતી.
પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે શોમા ચૌધરી સાથે પૂછપરછ એટલા માટે કરશે કારણ કે પીડિતા દ્વારા ગુરૂવારે સાંજે ઇ-મેલ દ્વારા એક અરજી મોકલ્યાના 24 કલાક બાદ પણ શોમા દ્વારા પીડિતાની ફરિયાદ નથી મળી. શોમા ચૌધરીએ પોતાનું વલણ સ્પષ્ટ કેમ ન કર્યું અને કેસને દબાવવાનો પ્રયત્ન કેમ કર્યો?
અત્રે ઉલ્લેખનીય છે કે કેસની તપાસ ચાલુ છે, પોલીસે સ્પષ્ટ કરી દિધું છે કે ગોવાની જે હોટલની લિફ્ટમાં પીડિતા સાથે યૌન શોષણ થયું છે તે લિફ્ટમાં સીસીટીવી કેમેરા નથી, પરંતુ લિફ્ટની બહાર લાગેલા કેમેરામાં પીડિતાને એકવાર લિફ્ટમાંથી ઉતાવળે બહાર આવતાં જોવામાં આવી હતી.
તહેલકાના ચીફ એડિટર તરૂણ તેજપાલની ઉપર મહિલા પત્રકારે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે ગોવામાં નશાની હાલતમાં તરૂણ તેજપાલે તેનું જાતીય શોષણ કર્યું. જો કે ઇન્ડિયન એક્સપ્રેસમાં આપેલા નિવેદનમાં તરૂણ તેજપાલનું કહેવું છે કે તેમના વિરૂદ્ધ કાવતરું ઘડાઇ રહ્યું છે. પીડિતા ખોટું બોલી રહી છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા




Click it and Unblock the Notifications
