Telangana Election : તેલંગાણામાં યોગી આદિત્યનાથનો પ્રચાર, કહ્યું, 3 લાખ કરોડના દેવામાં તેલંગાણા

તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે બીજેપી, કોંગ્રેસ અને સત્તાધારી બીઆરએસના તમામ નેતાઓ પ્રચારમાં લાગ્યા છે. યુપીના સીએમ યોગી પણ પ્રચાર માટે અહીં પહોંચ્યા હતા.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેલંગાણાના મહબૂબનગરમાં જાહેર સભાને સંબોધી. જનસભાને સંબોધિત કરતા સીએમ યોગીએ સત્તાધારી બીઆરએસ પર નિશાન સાધ્યું.

Yodi Adityanath

યોગી આદિત્યનાથે કહ્યું કે, લોકોએ બલિદાન આપીને રાજ્યનું નિર્માણ કર્યું. પરંતુ સમગ્ર રાજ્ય જમીન માફિયાઓ અને માફિયાઓની પકડમાં છે. આ રાજ્ય પર 3 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.

યોગી આદિત્યનાથ તેલંગાણાના આસિફાબાદમાં બીજેપી ઉમેદવારના સમર્થનમાં જનસભા કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કેસીઆર સરકાર પર તુષ્ટિકરણની રાજનીતિનો આરોપ લગાવ્યો.

તેમણે કહ્યું કે, તેલંગાણામાં BRS સરકાર લોકોનું શોષણ કરી રહી છે. તેલંગાણાના લોકોને તેમના અધિકારો આપવામાં આવ્યા નથી.

યોગીએ કહ્યું કે, સરકાર સમાજમાં ભાગલા પાડવા કોઈપણ સ્તરે જઈ શકે છે. અહીંની સરકારો મુસ્લિમો માટે આરક્ષણની જાહેરાત કરે છે. અનુસૂચિત જાતિ, દલિત અને વંચિત લોકોના અધિકારો છીનવાઈ રહ્યા છે. જે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું પણ અપમાન છે, જે આ BRS અને કોંગ્રેસ સરકાર કરી રહી છે.

તેમણે કહ્યું કે, જો બીજેપીની સરકાર આવશે તો મુસ્લિમ આરક્ષણ ખતમ કરી દેશે. તેનો લાભ દલિતો અને અનુસૂચિત જાતિઓને મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X