પુલવામાં આતંકીઓએ સેનાના જવાનનું અપહરણ કર્યું

ગુરુવારે દક્ષિણ કાશ્મીરના પુલવામાં આતંકીઓ ઘ્વારા સેનાના એક જવાનનું અપહરણ કરી લેવામાં આવ્યું છે.

ગુરુવારે દક્ષિણ કાશ્મીરના પુલવામાં આતંકીઓ ઘ્વારા સેનાના એક જવાનનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. આ જવાનનું નામ ઔરંગઝેબ જણાવવામાં આવી રહ્યું છે અને તે પૂંછનો રહેવાસી છે. આ જવાન રજા મળતા પોતાને ઘરે આવ્યો હતો. પોલીસે આ મામલે જાંચ શરુ કરી દીધી છે. ગયા વર્ષે દક્ષિણ કાશ્મીર શોપિયાંમાં ઇન્ડિયન આર્મી ઓફિસર લેફ્ટેનન્ટ ઉમર ફૈયાઝનું અપહરણ કરીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી. લેફ્ટેનન્ટ ઉમર ફૈયાઝ પણ રજા મળવા પર પોતાને ઘરે આવ્યા હતા.

jammu kashmir

મળતી માહિતી અનુસાર આ જવાન 44 રાષ્ટ્રીય રાઇફલ સાથે પોસ્ટેડ હતો અને તેની પોસ્ટિંગ શોપિયાંમાં હતી. અહીં આ જવાન એન્ટી ટેરર ઓપેરેશનમાં શામિલ હતો. ગુરુવારે જ આતંકીઓ ઘ્વારા પુલવામાં ગંગુ નજીક સીઆરપીએફ અને પોલીસના જોઈન્ટ ચેક પોઇન્ટ પર ફાયરિંગ કરવામાં આવી હતી.

ગયા વર્ષે 10 મેં 2017 દરમિયાન 22 વર્ષના ઇન્ડિયન આર્મી ઓફિસર લેફ્ટેનન્ટ ઉમર ફૈયાઝનું 5 થી 6 આતંકીઓ ઘ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું હતું. લેફ્ટેનન્ટ ઉમર ફૈયાઝનું શોપિયાંમાં તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું. બીજા દિવસે સવારે તેની લાશ હરમન વિસ્તારમાં મળી આવી હતી. તેમની લાશ પુરી રીતે ગોળીથી વીંધાયેલી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X