જમ્મુ કાશ્મીરઃ આતંકવાદીઓએ સુરક્ષાબળો પર કર્યુ ફાયરિંગ, એક આતંકી ઠાર
જમ્મુ કાશ્મીરમાં એક વાર ફરીથી આતંકવાદીઓ સુરક્ષાકર્મીઓ પર હુમલો કર્યો છે.
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં એક વાર ફરીથી આતંકવાદીઓ સુરક્ષાકર્મીઓ પર હુમલો કર્યો છે. કાશ્મીર ઝોન પોલિસે આ ઘટનાની માહિતી આપીને જણાવ્યુ કે આતંકવાદીઓએ બારામૂલના ચેરદારીમાં સેના અને પોલિસ પર ફાયરિંગ કર્યુ. ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ જવાબી હુમલો કર્યો અને વધુ એક આતંકવાદીને ઠાર માર્યો. માર્યા ગયેલા આતંકીની ઓળખ થઈ રહી છે. આતંકવાદી પાસેથી એક પિસ્તોલ, એક લોડેડ મેગ્ઝીન અને પાક ગ્રેનેડ જપ્ત કરવામાં આવ્યો છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યુ કે માર્યો ગયેલો આતંકવાદી કુલગામ જિલ્લાનો છે. જેની ઓળખ જાવેદ આહવાની તરીકે થઈ છે. જાવેદે બિહારના 2 મજૂરોની હત્યા કરી હતી. તેને બારામૂલામાં એક દુકાનદારને મારવાના મિશન પર મોકલવામાં આવ્યો હતો.

નોંધનીય વાત છે કે આતંકવાદી છેલ્લા અમુક દિવસોથી ઘાટીમાં સામાન્ય નાગરિકોને પોતાનો નિશાન બનાવી રહ્યો છે. આતંકવાદીઓએ તબક્કાવાર રીતે ઘણા સામાન્ય નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા છે. છેલ્લા અમુક દિવસોમાં લગભગ 11 લોકોની હત્યા કરવામાં આવી છે. આતંકવાદીઓએ આ કાયર હરકત કર્યા બાદ સુરક્ષાકર્મીઓને આ હત્યાઓમાં શામેલ આંતકવાદીઓ સામે મિશન શરૂ કર્યુ છે. આ વર્ષે સેનાએ 67 એનકાઉન્ટરમાં 132 આતંકવાદીઓને અત્યાર સુધીમાં ઠાર માર્યા છે. હજુ પણ સુરક્ષાકર્મીઓનુ આતંકવાદી સામે ઑપરેશન ચાલુ છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
