'શશિ થરૂરને 'લવ' મંત્રાલયના મંત્રી બનાવી દેવા જોઇએ'
નવીદિલ્હી, 31 ઑક્ટોબરઃભાજપ તરફથી શશિ થરૂર અને તેમના પત્ની પર પ્રહારો ચાલું છે. નરેન્દ્ર મોદી બાદ હવે મુખ્તાર અબ્બાસ નકવીએ થરૂરને લવ ગુરુ ગણાવતા કહ્યું છે કે જો દેશમાં 'લવ' મંત્રાલય બને તો થરૂરને તેના મંત્રી બનાવી દેવા જોઇએ. નકવીએ કહ્યું કે, તેમના જેવા(શશિ થરૂર) આંતરાષ્ટ્રીય લવ ગુરુ માટે લવ મંત્રાલયની રચના કરવામાં આવી જોઇએ.

બીજી તરફ, કેન્દ્રીય મંત્રી શશિ થરૂરની પત્ની સુનંદ પુષ્કર પરની ટિપ્પણીને લઇને નરેન્દ્ર મોદી પર સતત ટીકાઓનો મારો થઇ રહ્યો છે. સૌથી પહેલા શશિ થરૂરે ટ્વિટર પર લખ્યું કે તેમના પત્નીની કિંમત 50 કરોડ કરતા વધારે છે, તે અનમોલ છે, પરંતુ તેને સમજવા માટે તમારે કોઇને પ્રેમ કરવો પડશે. ત્યાર બાદ ગૃહરાજ્યમંત્રી આરપીએન સિંહ અને રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ સાથે તમામ જાણીતી હસ્તીઓએ નરેન્દ્ર મોદીની આ ટિપ્પણીની જોરદાર ટીકા કરી છે.
બીજી તરફ ભાજપના સહયોગી સહયોગી જેડીયુના નેતા શિવાનંદ તિવારી નરેન્દ્ર મોદીની ટિપ્પણીનો વિરોધ કર્યો છે. તિવારીએ કહ્યું છે કે મોદીએ જે કહ્યું તે મહિલાઓનું અપમાન કરવા સમાન છે. તેમણે કહ્યું કે, મહિલાઓ કોઇ વસ્તુ નથી. જેની કિંમત લગાવવામાં આવે.












Click it and Unblock the Notifications
