Kolkata doctor case : કોલકત્તા કાંડના આરોપીનો મનોવૈજ્ઞાનિક ટેસ્ટ કરાશે, જાણો કેમ?

Kolkata doctor case : કોલકત્તાની ખૌફનાક ઘટના બાદ દેશભરમાં ભારે હંગામાનો માહોલ છે. હવે આ ઘટનાને અંજામ આપનારા નરાધમ આરોપીનો સીબીઆઈ મનોવૈજ્ઞાનિક ટેસ્ટ કરાવવા જઈ રહી છે.

સીબીઆઈના અધિકારીઓ અનુસાર, ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપી સંજય રોયનું મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન કરાશે. દિલ્હીની સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL) ના મનોવૈજ્ઞાનિકો અને વર્તન વિશ્લેષકોની એક ટીમ જરૂરી પરીક્ષણો કરવા કોલકાતા પહોંચી છે.

Kolkata doctor case

જણાવી દઈએ કે, સીબીઆઈ આરોપીને પહેલા જ કસ્ટડીમાં લઈ ચૂકી છે. શનિવારે સતત બીજા દિવસે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષની પૂછપરછ કરાઈ છે. શુક્રવારે શરૂ થયેલી પૂછપરછ શનિવારે સવારે 1.40 વાગ્યા સુધી ચાલી હતી.

જણાવી દઈએ કે, 31 વર્ષીય પીજી તાલીમાર્થી ડૉક્ટરનો મૃતદેહ 9 ઓગસ્ટના રોજ સરકારી હોસ્પિટલના સેમિનાર હોલમાંથી મળ્યો હતો. તેણીની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી. આ કેસના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાના માતા-પિતાએ કોલકત્તા હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ કરી છે.

આ ઘટનાની CBI તપાસની માગણી કરતી જાહેર હિતની અરજીઓ (PIL) પણ દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે પીડિતાનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું અને તેની હત્યા કરવામાં આવી હતી.

પરિવાર અનુસાર, તેની આંખ, મોં અને પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળતું હતું. તેના ડાબા પગ, ગરદન, જમણા હાથ, રિંગ ફિંગર અને હોઠ પર પણ ઈજાઓ જોવા મળી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X